લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં આત્મમંથન ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં કોંગ્રેસ કાર્યસમિતિની બીજી બેઠક આ સપ્તાહમાં મળવાની છે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષના પદથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે. રાહુલે 25 મેના રોજ મળેલી કાર્યસમિતિની પહેલી બેઠકમાં અધ્યક્ષ પદ છોડવાની રજૂઆત કરી હતી, જેને તેમની માતા અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ફગાવી દીધી હતી. આ દરમિયાન પાર્ટીના અન્ય નેતાઓ પણ રાહુલને પદ પર ચાલુ રાખવા ભાવુક અપીલ કરી હતી. સોનિયા ગાંધીએ પણ ત્યારબાદ રાયબરેલીની જનતાને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેઓ પોતાના સિદ્ધાંતો માટે લડાઈથી પાછળ નહીં હટે.
દેશભરમાં પદયાત્રા અને કાર્યકર્તાઓ સાથે સંવાદ સ્થાપિત કરશે રાહુલ
સૂત્રો અનુસાર, સોનિયા પોતાના દીકરા રાહુલને અધ્યક્ષ પદ છોડવાના નિર્ણયની વિરુદ્ધ છે, ખાસ કરીને તે જોતાં કે પાર્ટી પોતાના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને એવામાં રાહુલ માટે ફરીથી અધ્યક્ષ પદ પર વાપસી કરવી સરળ નહીં રહે. પરંતુ રાહુલના નિકટતમ નેતઓનું કહેવું છે કે રાજીનામાનો અર્થ એવો નથી કે રાહુલ પોતાની જવાબદારીથી પાછળ હટી રહ્યો છે પરંતુ તેની યોજના પદયાત્રા કરવી અને દેશભરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ સ્થાપિત કરવાની છે.
રાહુલ નહીં તો બીજું કોણ?
રાહુલ રાજીનામું આપે છે તો પાર્ટી માટે એવો સવાલ પણ ઊભો થશે કે તેમના સ્થાને કોણ પદ સંભાળશે. રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદથી નહેરુ-ગાંધી પરિવારને દૂર રાખવા માટે પાર્ટીના અનેક સિનિયર નેતા એકજૂથ થઈ ગયા હતા. સૂત્ર એમ પણ જણાવે છે કે ગત શનિવારે મળેલી કાર્યસમિતિની બેઠક બાદ પાર્ટીના અનેક સિનિયર નેતા એકજૂથ થઈ ગયા છે. નોંધનીય છે કે, બેઠકમાં રાહુલે આ સિનિયર નેતાઓ પર પુત્રમોહમાં પાર્ટીને ધ્યાન ન આપવાનો આરોપ મૂક્યો હતો.
બીજી તરફ, રાહુલના નજીકના લોકો મુજબ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડીને પાર્ટી નેતાઓને પાઠ ભણાવવા માંગે છે. તે મુજબ, જો રાહુલના રાજીનામા બાદ પાર્ટીથી લોકો છૂટા પડે છે તો શક્ય છે કે કોંગ્રેસના સિનિયર નેતા નેતૃત્વકર્તા તરીકે ગાંધી પરિવારની અસહમતિ અનુભવશે. કંઈક આવી જ રીતે 1998માં સીતારામ કેસરીને બહાર કરીને સોનિયા ગાંધીને સત્તામાં આવી હતી.
હાલ ચોક્કસપણે સમય અલગ છે. કોંગ્રેસ પર વધુ એક સંકટ છે તો બીજી તરફ તેના પ્રતિદ્વંદી પાર્ટી વધુ ચતુર છે. એવામાં જોવાનું રસપ્રદ રહેશે કે શું અતીતમાં છોડવામાં આવેલું તીર વર્તમાનમાં પણ પાર્ટી માટે સચોટ નિશાન પર લાગશે.