પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) NDAના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે 14, 16 અને 17 ફેબ્રુઆરીએ પંજાબ (Punjab Election)માં જાહેર સભાઓને સંબોધશે. આ અંતર્ગત માલવા, દોઆબા અને માઝા વિસ્તારને આવરી લેવામાં આવશે. ભાજપ (BJP)ના એક નેતાએ બુધવારે આ માહિતી આપી હતી. 117 સદસ્યોની પંજાબ વિધાનસભા (Punjab Assembly Election) માટે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રદેશ ભાજપ મહાસચિવ સુભાષ શર્માએ જણાવ્યું કે પંજાબમાં NDAના અભિયાનને આગળ વધારવા માટે પ્રધાનમંત્રી 14, 16 અને 17 ફેબ્રુઆરીએ ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ જાલંધરમાં પ્રથમ જાહેરસભાને, બીજી 16 ફેબ્રુઆરીએ પઠાણકોટમાં અને ત્રીજી 17 ફેબ્રુઆરીએ અબોહરમાં સંબોધિત કરશે. આ રીતે પ્રધાનમંત્રી રાજ્યના ત્રણેય પ્રદેશોને આવરી લેશે - દોઆબામાં જલંધર, માઝામાં પઠાણકોટ અને માલવામાં અબોહરને કવર કરી લેવાશે તેવું તેમણે જણાવ્યું હતું.
શર્માએ દાવો કર્યો હતો કે,"વડાપ્રધાનની જાહેર સભાઓથી રાજ્યમાં રાજકીય વાતાવરણ બદલાશે અને ચૂંટણી લડી રહેલા તમામ NDA ઉમેદવારોનું મનોબળ વધશે." મોદીએ 8 ફેબ્રુઆરીએ ડિજિટલ માધ્યમથી રાજ્યમાં તેમની પ્રથમ રેલી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર