Home /News /national-international /Punjab Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી પંજાબને આપશે 42 હજાર કરોડની ભેટ, 5 જાન્યુઆરીએ કરશે વિઝિટ

Punjab Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી પંજાબને આપશે 42 હજાર કરોડની ભેટ, 5 જાન્યુઆરીએ કરશે વિઝિટ

Punjab Elections 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 5 જાન્યુઆરીએ પંજાબ (Punjab)ના ફિરોઝપુરની મુલાકાત લેશે અને આ દરમિયાન રાજ્યમાં રૂ. 42,750 કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

Punjab Elections 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 5 જાન્યુઆરીએ પંજાબ (Punjab)ના ફિરોઝપુરની મુલાકાત લેશે અને આ દરમિયાન રાજ્યમાં રૂ. 42,750 કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

નવી દિલ્હી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 5 જાન્યુઆરીએ પંજાબ (Punjab)ના ફિરોઝપુરની મુલાકાત લેશે અને આ દરમિયાન તેઓ રાજ્યમાં રૂ. 42,750 કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે, અમૃતસર-ઉના ખંડને ચાર-માર્ગીય બનાવવા, મુકેરિયા-તલવાડા રેલ લાઇનનું ગેજ રૂપાંતર, ફિરોઝપુર અને કપૂરથલા અને હોશિયારપુર ખાતે પીજીઆઈ સેટેલાઇટ સેન્ટર. બે નવી મેડિકલ કોલેજની સ્થાપના સાથે સંબંધિત પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

PMOએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કનેક્ટિવિટી સુધારવાના વડા પ્રધાનના પ્રયાસોના ભાગ રૂપે, પંજાબમાં પણ વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો વિકસાવવા માટે પહેલ કરવામાં આવી છે. તેના પરિણામ સ્વરૂપે વર્ષ 2014માં રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ 1700 કિમી હતી જ્યારે વર્ષ 2021માં તે વધીને 4100 કિમી થઈ ગઈ છે. પીએમઓએ કહ્યું કે આ પ્રયાસોના સિલસિલામાં વડાપ્રધાન પંજાબમાં બે મુખ્ય રોડ કોરિડોરનો શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો: એવું તે બન્યું કે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ સાથે મળી જામનગર મનપા કમિશનરને આપ્યું આવેદન ?

669 કિલોમીટર લાંબો દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે રૂ. 39,500 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ રોડના નિર્માણથી દિલ્હીથી અમૃતસર અને અમૃતસરથી કટરાની મુસાફરી અડધા સમયમાં પૂરી થઈ શકશે. પીએમઓ અનુસાર, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે શીખ ધાર્મિક સ્થળો સુલતાનપુર લોધી, ગોઇંદવાલ સાહિબ, ખડૂર સાહિબ, તરનતારન અને કટરા સ્થિત હિન્દુઓના પવિત્ર મંદિર વૈષ્ણો દેવીને જોડશે. આ એક્સપ્રેસવે હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના મોટા ઔદ્યોગિક શહેરો અંબાલા, ચંદીગઢ, મોહાલી, સંગરુર, પટિયાલા, લુધિયાણા, જલંધર, કપૂરથલા, કઠુઆ અને સાંબાને પણ જોડશે.

આ પણ વાંચો: Covid Positive: જોન અબ્રાહમ અને તેની પત્ની કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે અચાનક જ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી, તેનાથી આવતા વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)ના રાજકીય સમીકરણ બદલાઈ ગયા છે.

આ પણ વાંચો: COVID-19: મુંબઈથી ગોવા જઈ રહેલી શિપનો સ્ટાફ કોરોના સંક્રમિત, 2000 મુસાફરો ફસાયા!

વડાપ્રધાન મોદીના રાષ્ટ્રને સંબોધન પહેલા કિસાન આંદોલન (Kisan Andolan) પંજાબના રાજકારણમાં એક મોટો ચૂંટણી મુદ્દો હતો અને સમગ્ર ચૂંટણીને અસર કરી શકે છે, પરંતુ કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય બાદ ચૂંટણીમાં હવે એક રસપ્રદ લડાઈ જોઈ શકાય છે. જે મુદ્દા પર રાજકીય પક્ષો સરકારને ઘેરવાની યોજના બનાવી રહ્યા હતા તે ખતમ થયા બાદ હવે તેમની પાસે એવો કોઈ મુદ્દો નથી કે જેના પર તેઓ સરકારને નિશાન બનાવી શકે.
First published:

Tags: Pm narendr modi, Punjab Assembly Election-2022, દેશ વિદેશ