વારાણસી : કાશીના (Kashi)પંડિતોએ પોતાના સાંસદ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પાસે અનોખી દક્ષિણાની માંગણી કરી છે. જે અંતર્ગત તે કાશ્મીરની (Kashmir News)વાદીયોમાં ફરીથી વૈદિક મંત્રોની ગૂંજ સ્થાપિત કરવા માંગે છે. આ માંગને પૂર્ણ કરવા માટે તેમણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો છે. વારાણસીમાં કાશી વિદ્વત કર્મકાંડ પરિષદનું ગઠન કરવામાં આવ્યું છે.
આ ગઠનમાં સૌથી પહેલા કાશ્મીરમાં બંધ પડેલા મંદિરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જેમાં કાશ્મીરમાં બંધ પડેલા મંદિરોમાં ફરીથી પૂજન અને વૈદિક મંત્રોની શરૂઆત કરવાની માંગણી કરવામાં આવી છે. પરિષદના અધ્યક્ષ અને કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ ન્યાસ અધ્યક્ષ પંડિત અશોક દ્વિવેદીએ આ માટે પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્યો છે.
તેમણે જણાવ્યું કે કાશ્મીરમાં સેંકડો મંદિર છે. જેમાં 40 મુખ્ય મંદિર છે, જે બંધ પડેલા છે. આ મંદિરોમાં ફરી એક વાર કાશીના પંડિત પૂજા પાઠ કરાવવા માંગે છે. ફરીથી સનાતન સંસ્કૃતિને જીવંત કરવા માંગે છે. આવામાં અમે પ્રધાનમંત્રી પાસે માંગણી કરીએ છીએ કે અમે દક્ષિણાના રુપમાં તેની મંજૂરી આપવામાં આવે.
તમને જણાવી દઈએ કે અશોક દ્વિવેદી કાશીના તે મુખ્ય અર્ચકોમાંથી એક છે જેમણે પીએમ મોદીને વિશ્વનાથ મંદિરમાં અત્યાર સુધીમાં પાંચ વખત પૂજા કરાવી છે. આવામાં તેમણે દક્ષિણાની વાત કરતા કહ્યું કે કાશીના પંડિત પોતાના સાંસદની સાથે છે.
બીજેપી સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી પાપ છે, તો હા મેં પાપ કર્યું : પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)વંશવાદની રાજનીતિની (dynastic politics)વિરુદ્ધ છે અને હાલમાં ખતમ થયેલી વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections)તેના કારણે ઘણા સાંસદોના પુત્ર-પુત્રીઓને ટિકિટ મળી શકી નથી. તેમણે આ વાત ભાજપા સંસદીય દળની (Parliamentary party meeting)બેઠકમાં કહી હતી. બેઠકમાં ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને સત્તામાં વાપસી કરનાર પ્રધાનમંત્રી મોદી અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાનું શાનદાર અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના મતે પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પરિવારવાદી રાજનીતિ પર ઘણો પ્રહાર કર્યો હતો. પીએમે કહ્યું કે આજે દેશનો સૌથી મોટો શત્રુ પરિવારવાદી રાજનીતિ છે કારણ કે પરિવારવાદના કારણે જ જાતિવાદની રાજનીતિને પ્રોત્સાહન મળે છે. આ માટે જવાબદાર છે પરિવારવાદી રાજનીતિક દળ. જેથી પરિવારવાદી રાજનીતિને ખતમ કરવા સુધી આપણી આ લડાઇ ચાલતી રહેશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણી પાર્ટીમાં ઘણા સાંસદોના બાળકોને ટિકિટ આપવામાં આવી નથી જો તેમને ટિકિટ ના આપવી પાપ છે તો હા મેં પાપ કર્યું છે. તેની જવાબદારી લઉં છું. કારણ કે આ પણ પરિવારવાદી રાજનીતિમાં જ આવે છે અને આપણે તેને ખતમ કરવાની છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર