પટના: સલામ છે એ પિતાને કે જેમનો એક દિકરો આતંકી હુમલામાં શહીદ થયો છે ત્યારે પરિવાર પર આવી પડેલી આપત્તિમાં પણ દેશ દાઝ ખાતે તેઓ કહે છે કે, મારો એક દિકરો દેશ માટે શહીદ થયો છે અને બીજો દિકરો પણ દેશની સેવા માટે આપવા માટે તૈયાર છું”.
ગુરુવારે જમ્મૂ-કશ્મિરનાં પુલવામામાં આતંકવાદીઓએ કરેલા હુમલમાં સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ (CRPF)નાં 37 જવાનો શહીદ થયા છે અને સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ હુમલા માટે જૈસ-એ-મોહમંદ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાન રતન ઠાકુરનાં પિતાએ જણાવ્યું કે, “મારો એક દિકરો દેશ માટે શહીદ થયો છે અને આ દેશની સેવા કાજે મારા બીજા દિકરાને પણ આપવા તૈયાર છું. પણ પાકિસ્તાનને આ હુમલાનો જડબાતોડ જવાબ આપવો જ રહ્યો,”.
“દેશની સેવા કાજે મેં મારા દિકરાનો ભોગ આપ્યો છે. હું મારા બીજા દિકરાને પણ દેશનાં રક્ષણ માટે લડવા મોટા મોકલીશ. પણ પાકિસ્તાનને વળતો જવાબ આપવો જ રહ્યો”. શહીદ જવાનનાં પિતા જણાવ્યું હતુ,. તેઓ બિહારનાં ભાગલપુરમાં રહે છે.
આ દરમિયાન, પૂર્વ આર્મી ચીફ અને વિદેશ રાજ્ય પ્રધાન વી.કે. સિંઘે પુલવામામાં આતંકી હુમલા બાદ તિખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આતંકી હુમલામાં જે જવાનો શહીદ થયા છે તેમના બલિદાનનાં લોહીનાં એક—એક ટીપાનો બદલો લઇશું. તેમણે કહ્યું કે, આર્મી દ્વારા તેમને યોગ્ય લાગે તે સમયે અને સ્થળે જવાબી કાર્યવાહી કરશે અને શહીદોનાં બલિદાનનો બદલો લઇશું. 37 જવાનોનાં શહીદથી મારુ લોહી ઉકળી ઉઠે છે અને આ કરોડરજ્જુ વગરનાં આતંકી હુમલાનો બદલો જરૂર લઇશું”.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર