POKના મુઝફ્ફરાબાદમાં લોકોએ પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. (ફોટો- ANI)
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વડા પ્રધાન સરદાર તનવીર ઇલ્યાસનું અપમાન કર્યું હતું. જેનાથી નારાજ થઈને મુઝફ્ફરાબાદ શહેરમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વડા પ્રધાન સરદાર તનવીર ઇલ્યાસનું અપમાન કર્યું હતું. જેનાથી નારાજ થઈને મુઝફ્ફરાબાદ શહેરમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હકીકતમાં, જ્યારે શહેબાઝ શરીફ કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તનવીર ઇલ્યાસે તેમને કેટલાક સૂચનો આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરીફે કથિત રીતે તેમનું અપમાન કર્યું અને આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. આ પછી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન અને શાહબાઝ શરીફ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ કહ્યું કે આ અપમાન સહન કરવામાં આવશે નહીં, શાહબાઝ શરીફે તાત્કાલિક તેમના વર્તન માટે માફી માંગવી જોઈએ. પ્રદર્શનકારીઓએ કહ્યું કે પાક પીએમ શહેબાઝ શરીફે પીઓકેના વડા પ્રધાન તનવીર ઇલ્યાસનું અપમાન કર્યું છે અને તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શરીફ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, ટાયરો સળગાવ્યા હતા અને રસ્તાઓ બ્લોક કર્યા હતા.
મંગલા ડેમના અન્ય બે તબક્કાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા શરીફ
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ PoKમાં ઝેલમ નદી પરના મંગલા ડેમના વધુ બે તબક્કાનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. પ્રદર્શનકારીએ કહ્યું કે પાકિસ્તાનના પીએમએ જે કર્યું છે તે અમને સ્વીકાર્ય નથી. અમે પાકિસ્તાનના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. અમારા વડાપ્રધાનને કાર્યક્રમમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. શું પાકિસ્તાનના પીએમ કાશ્મીરના લોકોને આ રીતે સજા આપશે કારણ કે અમે પાકિસ્તાન બનાવવા માટે આપણા દેશના ભાગલા પાડ્યા હતા. શરીફે તાત્કાલિક માફી માંગવી જોઈએ, નહીં તો અમારો વિરોધ વધુ ઉગ્ર બનશે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર