Home /News /national-international /PM મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, ટ્વિટ કરીને લખ્યું- ચોક્કસ જોડાશો

PM મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, ટ્વિટ કરીને લખ્યું- ચોક્કસ જોડાશો

વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો

વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો

    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે સાંજે 6 વાગ્યે દેશવાસીઓને સંદેશ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મંગળવાર બપોરે ટ્વિટ કરીને કહ્યું, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામ સંદેશ આપીશ, તમે ચોક્કસ જોડાશો.

    નોંધનીય છે કે, કોરોના વાયરસના સંકટ (Coronavirus Pandemic)ની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આ પહેલા અનેકવાર દેશને સંબોધિત કરી ચૂક્યા છે.

    કોરોના વાયરસને સંકટમાં પીએમ મોદી સતત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરતાં રહ્યા છે. પીએમ મોદી તરફથી મંત્ર આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી તમામ તકેદારી રાખવી પડશે.

    આ પણ વાંચો, COVID-19 in India: દેશની સવા અબજ વસ્તીને કેવી રીતે અપાશે કોરોના વેક્સીન? PM મોદીએ જણાવ્યો પ્લાન

    ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને આવનારા દિવસોમાં સતત તહેવારો જ તહેવારો છે, એવામાં સરકાર તરફથી ફરી એકવાર કડક પગલાં ભરવામાં આવી શકે છે.

    હાલમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તહેવારોના કારણે બજારમાં ભીડ થઈ શકે છે એવામાં તકેદારીના ભાગ રૂપે સરકાર તરફથી સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને બનાવશે આ ભારતીય કંપની, જાણો બધું જ

    વડાપ્રધાન મોદી તરફથી અત્યાર સુધીમાં અનેકવાર રાષ્ટ્રને સંબોધન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં જનતા કર્ફ્યૂ, 21 દિવસનું લૉકડાઉન, કોરોના વોરિયર્સ માટે દીપ પ્રગટાવવાની અપીલ સમયે પણ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે.  આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળની વચ્ચે અનેક વાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. થોડા દિવસો પહેલા જ વડાપ્રધાને દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સીનના ટ્રાયલ પર બેઠક કરી હતી.

    આ પણ વાંચો, Coronavirus: હવે મગજની નસોને નુકસાન પહોંચાડી રહ્યો છે કોરોના વાયરસ, AIIMSમાં સામે આવ્યો પહેલો કેસ


    દેશમાં કોવિડ-19ના આંકડાની વાત કરીએ તો ત્રણ મહિનામાં પહેલી વાર કોરોનાના દૈનિક કેસોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જુલાઈ બાદ આવું પહેલીવાર થયું છે જ્યારે કોરોનાના 24 કલાકમાં નોંધાતા કેસ 47 હજરથી પણ ઓછા રિપોર્ટ થયા છે.
    First published:

    विज्ञापन