Home /News /national-international /PM મોદીએ કહ્યું- કેન્દ્ર સરકારે મારી વાત ન સાંભળી તો લોકોએ મને જ વડાપ્રધાન બનાવી દીધો
PM મોદીએ કહ્યું- કેન્દ્ર સરકારે મારી વાત ન સાંભળી તો લોકોએ મને જ વડાપ્રધાન બનાવી દીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પહેલા જ્યાં રિફંડ માટે કોઈ સમય મર્યાદા ન હતી
Bank Deposit Insurance Programme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, પહેલા જ્યાં રિફંડ માટે કોઈ સમય મર્યાદા ન હતી, હવે અમારી સરકારે તેને 90 દિવસ એટલે કે 3 મહિનાની અંદર ફરજિયાત બનાવ્યું છે. તેમણે કહ્યું કે દાયકાઓથી ચાલી રહેલી એક મોટી સમસ્યાને કેવી રીતે હલ કરવામાં આવી, આજે તે સાક્ષી છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) વિજ્ઞાન ભવનમાં બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામમાં(Bank Deposit Insurance Programme) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi)નિવેદનથી સમગ્ર બિલ્ડિંગ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું,વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે જ્યારે પણ બેંકમાં તોફાન થતું ત્યારે લોકો અમારા ગળા પકડી લેતા હતા. નિર્ણય ભારત સરકારે લેવાનો હતો કે બેંકે કરવાનો હતો, પરંતુ મુખ્યમંત્રીનું ગળું પકડાયું હતું.
તેમણે વઘુમાં કહ્યું કે, 'બધા કહેતા હતા કે અમારા પૈસાનું કંઈક કરો. તે સમયે મને ઘણી તકલીફ પડતી હતી. તેમની પીડા પણ સ્વાભાવિક હતી. તે સમયે મેં કેન્દ્ર સરકારને ઘણી વખત કહ્યું હતું કે, આપણે એક લાખથી પાંચ લાખની રકમ વધારવી જોઈએ જેથી આપણે બને તેટલા પરિવારોને સંતોષ આપી શકીએ. પરંતુ મારી વાત ક્યારેય સાંભળવામાં આવી ન હતી. તેમણે ન કર્યું. જો તેઓએ ન કર્યું, તો લોકોએ તે કર્યું અને મને અહીં મોકલ્યો દીધો છે.
#WATCH | When I was CM, I repeatedly requested Centre to increase bank deposit insurance cover to Rs 5 lakhs from Rs 1 lakh but to no avail. So people sent me here to do it: PM Modi at an event on 'Depositors First: Guaranteed Time-bound Deposit Insurance Payment up to Rs 5 Lakh' pic.twitter.com/GoEE34Jy2r
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પહેલા જ્યાં પૈસા ઉપાડવા માટે કોઈ સમય મર્યાદા ન હતી, હવે અમારી સરકારે તેને 90 દિવસ એટલે કે 3 મહિનામાં ફરજિયાત બનાવી દીધી છે. તેમણે કહ્યું કે 'દશકોથી ચાલી રહેલી એક મોટી સમસ્યાને કેવી રીતે હલ કરવામાં આવી, આજે તે સાક્ષી છે. આજની ઘટનાને જે નામ આપવામાં આવ્યું છે તેમાં થાપણદારોની પ્રથમ ભાવના રાખવી, તેને વધુ ચોક્કસ બનાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ થાપણદારોના નાણાં વર્ષોથી ફસાયેલા છે. આ રકમ 1300 કરોડ રૂપિયાથી વધુ છે.
પીએમએ કહ્યું કે, આપણા દેશમાં બેંક ડિપોઝિટર્સ માટે વીમાની સિસ્ટમ 60ના દાયકામાં બનાવવામાં આવી હતી. અગાઉ બેંકમાં જમા રકમમાંથી માત્ર 50 હજાર રૂપિયા સુધીની રકમની જ ગેરંટી આપવામાં આવતી હતી. પછી તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી. એટલે કે જો બેંક ડૂબી જાય તો થાપણદારોને માત્ર એક લાખ રૂપિયા સુધી જ મળવાની જોગવાઈ હતી. આ નાણાં પણ ક્યારે મળશે તેની કોઈ સમય મર્યાદા ન હતી. ગરીબોની ચિંતાને ધ્યાનમાં રાખીને, મધ્યમ વર્ગની ચિંતાને સમજીને અમે આ રકમ ફરી વધારીને 5 લાખ રૂપિયા કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર