Home /News /national-international /Aryan Khan Drug Case : આર્યન ખાન કેસમાં NCBના સાક્ષી પ્રભાકર સાઈલનું મોત, સમીર વાનખેડે પર લગાવ્યા હતા ગંભીર આરોપો
Aryan Khan Drug Case : આર્યન ખાન કેસમાં NCBના સાક્ષી પ્રભાકર સાઈલનું મોત, સમીર વાનખેડે પર લગાવ્યા હતા ગંભીર આરોપો
Prabhakar Sail (File Photo)
Mumbai Cruise Drugs Case: ગયા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની ધરપકડ પછી, પ્રભાકર સાઈલ (Prabhakar Sail) ચર્ચામાં આવ્યો હતો અને તેણે NCB ના તત્કાલીન મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
Mumbai: આર્યન ખાન કેસ (Aryan Khan Drug Case) માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સાક્ષી પ્રભાકર સાઈલનું અવસાન થયું છે. મળતી માહિતી મુજબ પ્રભાકર સાઈલ (Prabhakar Sail) નું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. પ્રભાકર સેઇલ ગયા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ ચર્ચામાં આવ્યા હતા અને NCBના તત્કાલિન મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર (Sameer Wankhede) વાનખેડે પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
કિરણ પી ગોસાવી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય ધરાવે છે અને પ્રભાકર રાઘોજી સાઈલ તેમના અંગરક્ષક હતા. પ્રભાકરે ક્રુઝ ડ્રગ્સ કેસમાં એફિડેવિટ દાખલ કરીને NCBના તત્કાલિન અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આરોપોનો આધાર કેપી ગોસાવી અને સામ ડિસોઝા નામની વ્યક્તિ વચ્ચેની ફોન વાતચીતના આધારે આપ્યો હતો.
NCBએ કોર્ટમાં અરજી દાખલ કરીને ચાર્જશીટ દાખલ કરવા માટે 90 દિવસનો વધારાનો સમય માંગ્યો હતો. અરજીમાં એનસીબીએ દાવો કર્યો હતો કે આ મામલાની તપાસ હજુ ચાલી રહી છે. તેથી તેને ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ સમયની જરૂર છે.
ન્યાયાધીશ વી.વી. પાટીલે કેસની બંને બાજુ સાંભળ્યા બાદ NCBને 90 દિવસની જગ્યાએ 60 દિવસનો વધારાનો સમય આપ્યો હતો. નિયમો અનુસાર, NCBએ 180 દિવસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવી જોઈએ. આ સમયમર્યાદા 2 એપ્રિલે પૂરી થઈ રહી હતી. આ કેસમાં NCBએ આર્યન ખાન સહિત 20 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં 2 આરોપીઓ સિવાય આર્યન ખાન સહિત અન્ય 18ને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર