નવી દિલ્હી. કોરોના વેક્સીન અભિયાન (Corona Vaccination Drive)નું આજથી બીજું ચરણ શરૂ થઈ ગયું છે. તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. PM મોદીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. વેક્સીન લેવાની સાથોસાથ પીએમ મોદીએ તમામ લોકોને ભારતને કોવિડ-19 (COVID-19) મુક્ત કરવામાં યોગદાન આપવાની અપીલ પણ કરી.
રાજધાની દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (Delhi AIIMS) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19થી બચાવની વેક્સીન લીધી. નોંધનીય છે કે, 1 માર્ચથી દેશમાં કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનેશનનું બીજું ચરણ શરૂ થયું છે. આ કડીમાં વડાપ્રધાને પણ વેક્સીન લીધી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એ ઉલ્લેખનીય છે કે, આપણા ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટે ખૂબ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. હું તે તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરું છું, જે તેને યોગ્ય છે. આવો સાથે મળી આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
નોંધનીય છે કે, કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની વિરુદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાન (Coronavirus Vaccination Campaign)નું બીજું ચરણ આજથી શરૂ થઈ રહ્યું છે. વેક્સીનેશનના બીજા ચરણમાં 60થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો (Senior Citizens)ને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે.
સાથોસાથ ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનું પણ વેક્સીનેશન કરવામાં આવશે. વેક્સીનેશન માટે લોકો કોવિન 2.0 પોર્ટલના માધ્યમથી ક્યાંય પણ, ક્યારે પણ રજિસ્ટ્રેશન કરાવીને અપોઇન્ટમેન્ટ નક્કી કરી શકો છો. તેની સાથે જ કેન્દ્ર સરકારે કોવિન 2.0ને લઈને પૂરી ગાઇડન્સ નોટ પણ જાહેર કરી દીધી છે.
રવેક્સીનેશનના આ ચરણ માટે સરકારે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં વેક્સીનની કિંમત 250 રૂપિયા નક્કી કરી છે, જેમાં 100 રૂપિયા સર્વિસ ચાર્જ છે. વેક્સીનેશનનું બીજું ચરણ આગામી 6 સપ્તાહ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે વેક્સીનેશન માટે 20 ગંભીર બીમારીઓની ઓળખ કરી છે, જેનાથી પીડાતા 45થી વધુ ઉંમરના દર્દીઓ આ ચરણમાં વેક્સીન લઈ શકશે. જેમકે છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના હુમલાની સારવાર માટે જો વ્યક્તિ હૉસ્પિટલમાં દાખલ થયા હશે તો તેઓ વેક્સીન લઈ શકશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર