Home /News /national-international /'અન્નદાતાઓએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું', Farms law પરત લીધા બાદ બોલ્યા રાહુલ ગાંધી
'અન્નદાતાઓએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું', Farms law પરત લીધા બાદ બોલ્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું જ્યારે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો છે.
નવી દિલ્હી: એક વર્ષ બાદ કેન્દ્રની મોદી સરકાર (Modi Government) ખેડૂતો સમક્ષ ઝૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓ (farm Law) પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને (Farmers protest) ઘરે પરત જવાની અપીલ પણ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi on Farm law) કૃષિ કાયદો પાછો ખેંચ્યા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિંદ, જય હિંદના ખેડૂત!
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया।
अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ત્રણેય કાળા કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત લોકશાહીની જીત અને મોદી સરકારના ઘમંડની હાર છે. છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની ધીરજની આ જીત છે. મોદી સરકારની દૂરંદેશી અને અહંકારને કારણે સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા તે દેશ ક્યારેય ભૂલી શકે નહીં. ખેડૂતોના આંદોલનમાં બલિદાન આપનારા તમામ ખેડૂતોને હું નમન કરું છું. આ તેમના બલિદાનની જીત છે.
અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો
અમરિંદર સિંહે ટ્વીટ કર્યું, સારા સમાચાર. ગુરુ નાનક જયંતિના પવિત્ર અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા માટે પીએમ મોદીનો આભાર. મને ખાતરી છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે સાથે મળીને કામ કરતી રહેશે.
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, કાળા કાયદાને રદ કરવાની સાચી દિશામાં આ એક પગલું. કિસાન મોરચાના સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી છે. તમારા બલિદાનને કારણે તે શક્ય બન્યું છે. રોડ મેપ દ્વારા પંજાબમાં ખેતીને પુનર્જીવિત કરવી એ પંજાબ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.
અરવિંદ કેજરીવાલે આ અંગે જણાવ્યુ કે, આજે પ્રકાશ દિવસના દિવસે કેવા મહાન સમાચાર મળ્યા. ત્રણેય કાયદા રદ કરવામાં આવ્યા. 700થી વધુ ખેડૂતો શહીદ થયા. તેમની શહાદત અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ કરશે કે, કેવી રીતે આ દેશના ખેડૂતોએ જીવ જોખમમાં મૂકીને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારી સલામ
" isDesktop="true" id="1153131" >
ખેડૂત સંગઠને મોદીનો આભાર વ્યક્ત કરવો જોઈએ
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે ટ્વીટ કર્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરવા બદલ તમામ ખેડૂત સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ અને તરત જ તેમના ધરણા બંધ કરવા જોઇએ. તમારે ઘરે જવું જોઈએ અને તમારા નિયમિત કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર