10 વર્ષમાં 50 લાખ હેક્ટર પડતર જમીનને ઉપજાઉ કરીશું : COP14માં મોદીની જાહેરાત

COP14માં પીએમ મોદીએ કહ્યું કે, હવે દુનિયાએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને Bye Bye કહી દેવું જોઈએ
COP14માં પીએમ મોદીએ કહ્યું કે, હવે દુનિયાએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને Bye Bye કહી દેવું જોઈએ
- News18 Gujarati
- Last Updated: September 9, 2019, 12:59 PM IST
પોતાના સંબોધનમાં વડાપ્રધાને જાહેરાત કરી કે, 10 વર્ષમાં 50 લાખ હેક્ટર પડતર જમીનને ઉપજાઉ કરી દઈશું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, સમગ્ર દુનિયાએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને bye bye કહી દેવું જોઈએ.
PM Modi at the COP14 to UNCCD in Greater Noida,UP: I would like to announce that India would raise its ambition of the total area that would be restored from its land degradation status, from 21 million hectares to 26 million hectares between now and 2030. pic.twitter.com/phPQeWr7pq
— ANI (@ANI) September 9, 2019
પીએમ મોદીએ કહ્યું કે, ભારતના સંસ્કારોમાં ધરતી પવિત્ર છે, રોજ સવારે જમીન પર પગ મૂકતાં પહેલા અમે ધરતી પાસે માફી માંગીએ છીએ. પીએમે કહ્યું કે, આજે દુનિયામાં લોકોને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે નકારાત્મક વિચારધારાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે સુમદ્રોનું જળસ્તર વધી રહ્યું છે. વરસાદ, પૂર અને તોફાન દરેક સ્થળે તેની અસર જોવા મળી રહી છે. પર્યાવરણ બચાવવા માટે આપણે સૌથી પહેલા પોતાના વ્યવહારમાં ફેરફાર લાવવાની જરૂર છે.
PM Modi at the COP14 to UNCCD in Greater Noida, UP: It would make you happy that India has been able to increase its tree cover. Between 2015 to 2017, India’s tree and forest cover has increased by 0.8 million hectares. pic.twitter.com/PI6HlLfEdC
— ANI (@ANI) September 9, 2019
આ પણ વાંચો, 16 વર્ષની ઉંમરે પાસ કરી 'મહાપરીક્ષા', PM નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા
આ પ્રસંગે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ભારતે વધતા રણથી ધરતીને બચાવવાની દિશામાં અનેક પગલાં ઉઠાવ્યા છે. પર્યાવરણ સંરક્ષણને લઈને ભારતે ઉલ્લેખનીય કામ કર્યુ છે. આ જ કારણ છે કે દુનિયાના 77 ટકા વાઘ માત્ર ભારતમાં છે.
જાવડેકરે વધુમાં જણાવ્યું કે, ભારતે વધતા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણનો સામનો કરવા માટે ટેક્સમાં છૂટ આપીને ઈ-વાહનોને પણ પ્રોત્સાહન આપ્યું છે. જો મનુષ્યોના કામોથી પર્યાવરણ પરિવર્તન થયું છે, તો તેના સકારાત્મક યોગદાનથી જ તેમાં સુધાર પણ લાવવામાં આવશે.
નોંધનીય છે કે, ગ્રેટર નોઇડામાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં દુનિયાના 190થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો, બિહારના યુવાઓમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે AIDS, ચોંકાવનારા આંકડા : રિપોર્ટ