નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર જે ચર્ચા ચાલી રહી છે, તે ચર્ચામાં ભાગ લેવા માટે હું આદરણીય રાષ્ટ્રપતિનો આભાર માનું છું. હું તેમને અભિનંદન આપું છું. બંને ગૃહોને સંબોધતા રાષ્ટ્રપતિએ વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર કર્યો. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ મોદી-અદાણી ભાઈ ભાઈના નારા પણ લગાવ્યા હતા.
વિપક્ષનો હોબાળો
વિપક્ષના હોબાળા વચ્ચે પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો. પીએમ મોદીએ કહ્યું, કેટલાક લોકોનું વર્તન નિરાશાજનક છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમની પાસે કાદવ છે, મારી પાસે ગુલાલ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, તમે જેટલો કાદવ ફેંકશો તેટલું જ કમળ ખીલશે. અમારી સફળતામાં તમારું યોગદાન ભૂલી શકાય તેમ નથી.
છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં 11 કરોડ ઘરોને નળ દ્વારા પાણી મળ્યું
પીએમએ કહ્યું કે, આઝાદી પહેલા અત્યાર સુધી અમારી સરકાર આવી ત્યાં સુધી માત્ર 3 કરોડ ઘરોમાં નળનું પાણી આવતું હતું. છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં 11 કરોડ ઘરોને નળ દ્વારા પાણી મળી રહ્યું છે. ભારતની પાણીની સમસ્યા, જે દરેક પરિવારની સમસ્યા છે, જેના વિના જીવન ચાલી શકતું નથી. અમે તેને દૂર કરવાની દિશામાં કામ કર્યું.
વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઈ કાલે મલ્લિકાર્જુન ખડગે કહેતા હતા કે, કોંગ્રેસે 60 વર્ષમાં સંસ્થાઓનો વિકાસ કર્યો, દેશના મૂળિયા મજબૂત કર્યા. પરંતુ જ્યારે હું 2014માં સત્તામાં આવ્યો ત્યારે માત્ર ખાડા જ હતા. ભાજપે વિકાસ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર