PM Modiએ 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કર્યું ઉદઘાટન, યુવાનોને કહ્યું- એવા સ્વતંત્રતા સેનાનીઓ વિશે સંશોધન કરો જેમને ઓળખ નથી મળી
PM Modiએ 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કર્યું ઉદઘાટન, યુવાનોને કહ્યું- એવા સ્વતંત્રતા સેનાનીઓ વિશે સંશોધન કરો જેમને ઓળખ નથી મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર
Prime Minister Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુડુચેરી (Puducherry)માં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival)નું ઉદઘાટન કર્યું હતું.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુડુચેરી (Puducherry)માં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival)નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 'ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ' અને 'એનોનિમસ હીરો ઓફ ધ ઇન્ડિયન ફ્રીડમ મૂવમેન્ટ પર પસંદગીના નિબંધો'નું અનાવરણ કર્યું હતું.
આ નિબંધો બે વિષયો પર 10 લાખથી વધુ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા લેખોમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આજે સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda)ની જન્મજયંતિ છે, જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ યુવાનોને સ્વતંત્રતા સેનાનીઓ જેમને તેમની લાયકાત ધરાવતી ઓળખ મળી ન હતી તેમના વિશે સંશોધન કરવા અને લખવાનું આહ્વાન કર્યું હતું,
પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં એમએસએમઇ મંત્રાલયના ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન પણ કર્યું હતું, જે લગભગ 122 કરોડ રૂપિયાના રોકાણ સાથે બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ પુડુચેરી સરકાર દ્વારા લગભગ 23 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા ઓપન-એર થિયેટર ઓડિટોરિયમ - પેરુન્થાલાઈવર કામરાજર મણિ મંડપમનું પણ ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર, નારાયણ રાણે, ભાનુ પ્રતાપ સિંહ વર્મા અને નિસિથ પ્રામાણિક, ડો.તમિલિસાઈ સુંદરરાજન, પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસ્વામી, રાજ્યના મંત્રીઓ અને સંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ સભાને સંબોધતા દેશવાસીઓને રાષ્ટ્રીય યુવા દિવસની શુભેચ્છા પાઠવી હતી. સ્વામી વિવેકાનંદને નમન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષમાં તેમની જન્મજયંતિ વધુ પ્રેરણાદાયી બની છે.
પ્રધાનમંત્રીએ આ વર્ષના વધારાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, કારણ કે આ વર્ષે અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણી અને મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીની 100મી પુણ્યતિથિ પણ આ વર્ષે રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ બંને મણિશીઓનો પુડુચેરી સાથે વિશેષ સંબંધ છે. બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાઓમાં ભાગીદાર રહ્યા છે'.
પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી કે આજે ભારતના યુવાનો વૈશ્વિક સમૃદ્ધિની વાર્તા લખી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં યુનિકોર્ન ઇકોસિસ્ટમ ભારતીય યુવાનોથી ભરેલી છે. ભારતમાં આજે 50,000થી વધુ સ્ટાર્ટ-અપ્સની મજબૂત ઇકોસિસ્ટમ છે. આમાંના 10,000થી વધુ સ્ટાર્ટ-અપ્સ મહામારીના પડકાર વચ્ચે આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયાનો મંત્ર આપ્યો હતો : સ્પર્ધા કરો અને જીતો, એટલે કે ભેગા થાઓ અને જીતો; ભેગા થાઓ અને જંગ જીતો. પ્રધાનમંત્રીએ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સ અને રસીકરણ અભિયાનોમાં યુવાનોની કામગીરીને યુવાનોમાં જવાબદારીની ભાવના અને જીતવાની ઇચ્છાના ઉદાહરણ તરીકે રજૂ કરી હતી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર