શિવસાગર: વડાપ્રધાન મોદીએ શનિવારે આસામ (PM Modi in Assam)ના શિવસાગર જિલ્લા સ્થિત જેરંગા પઠારમાં રહેતા જમીન વગરના મૂળ નિવાસીઓ માટે ભૂમિ પટ્ટાના વિતરણ ( Land Allotment Certificates) અભિયાનની શરૂઆત કરાવી છે. તેમણે 10 લાભાર્થીઓને સર્ટિફિકેટ આપીને અભિયાનની શરૂઆત કરી હતી. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ (Chief Minister Sarbananda Sonowal) અને સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma)એ પણ આ પ્રસંગે હાજર લોકોને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ કે, ગત વર્ષોમાં મને આસામના અલગ અલગ વિસ્તારોમાં જવાનો અને વિકાસના કામ કરવાનો મોકો મળ્યો છે. હું તમારી ખુશીમાં શામેલ થવા માટે આવ્યો છું. આસામમાં અમારી સરકારે તમારી અનેક ચિંતા દૂર કરવા માટે કામ કર્યું છે. એક લાખથી વધારે મૂળ નિવાસી પરિવારોને ભૂમિના માલિકીનો અધિકાર મળવાથી તમારા જીવનની સૌથી મોટી ચિંતા દૂર થઈ ગઈ છે.
પીએમ મોદીએ કહ્યુ કે, આજે જ દેશ સૌથી પ્રિય નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી મનાવી રહ્યો છે. સરકારે નક્કી કર્યું છે કે આ દિવસની ઉજવણી 'પરાક્રમ દિવસ' તરીકે કરવામાં આવશે. આજે પરાક્રમ દિવસે આખા દેશમાં અનેક કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે. એક રીતે આજનો દિવસ આશાઓ પૂર્ણ થવાની સાથે આપણા રાષ્ટ્રીય સંકલ્પો માટે પ્રેરણા લેવાનો મોકો છે.
Prime Minister Narendra Modi distributes land allotment certificates to indigenous people, in Sivasagar, Assam pic.twitter.com/UzdagGuu3d
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "આપણે તમામ એક એવી સંસ્કૃતિના વાહક છીએ જેમાં આપણી જમીન આપણા માટે માતાનું રૂપ છે. આસામના જ મહાન સંતાન ભારત રત્ન ભૂપેન હજારિકાએ કહ્યુ હતુ કે ધરતી માતા મને તમારા ચરણમાં જગ્યા આપો, તમારા વગર ખેતી કરનાર લોકો શું કરશે, માટી વગર તે અસહાયત બની જશે."
પીએમ મોદીએ કહ્યુ કે, એ વાત ખરેખર દુઃખદ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ લાખો પરિવાર એવા છે જેમને કોઈને કોઈ કારણે કાયદાકીય અધિકારો નથી મળી શક્યા. આથી જ આદિવાસી વિસ્તારોમાં એક મોટી જનસંખ્યા ભૂમિહીન રહી છે, જેનાથી તેમની જીવાનનિર્વાહ પર સંકટ ઊભું થયું છે. અમારી સરકાર બની ત્યારે છ લાખ મૂળ નિવાસી પરિવાર એવા હતા જેમની પાસે જમીનના કાગળ ન હતા. પહેલાની સરકારોએ આ અંગે કોઈ ચિંતા કરી ન હતી. પરંતુ વર્તમાન સરકારે આ સમસ્યા પર ગંભીર થઈને કામ કર્યું છે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે, જમીનનો અધિકાર મળવાથી લાખો લોકોનો જીવન સ્તર સારું થશે. આ સાથે જ પીએમ સમ્માન નિધિથી આ ખેડૂતોને હવે સીધી જ તેમના ખાતામાં મદદ મોકલી શકાશે. લોકોને બીજી યોજનાઓનો પણ લાભ મળશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર