PM Modi on UP Election: પીએમ મોદીએ નકલી અને વાસ્તવિક સમાજવાદ વચ્ચેનો તફાવત સમજાવ્યો
PM Modi on UP Election: પીએમ મોદીએ નકલી અને વાસ્તવિક સમાજવાદ વચ્ચેનો તફાવત સમજાવ્યો
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં PM નરેન્દ્ર મોદીએ અસલી અને નકલી સમાજવાદ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. (ફોટો ANI)
યુપી વિધાનસભા ચૂંટણી (UP Election 2022)ના પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પરિવારવાદને લઈને સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ (Congress) પર નિશાન સાધ્યું
યુપી વિધાનસભા ચૂંટણી (UP Election 2022)ના પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પરિવારવાદને લઈને સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ (Congress) પર નિશાન સાધ્યું અને કહ્યું કે પરિવારની પાર્ટીઓ લોકશાહીની સૌથી મોટી દુશ્મન છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદી (PM Narendra Modi interview with ANI)એ કહ્યું કે હું જે નકલી સમાજવાદની વાત કરું છું તે ખરેખરમાં સંપૂર્ણ રીતે પરિવારવાદ છે. પીએમ મોદીએ નકલી અને વાસ્તવિક સમાજવાદ વચ્ચેનો તફાવત સમજાવવા માટે રામ મનોહર લોહિયા, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું, 'હું સમાજ માટે છું, પરંતુ હું જે નકલી સમાજવાદની વાત કરું છું તે સંપૂર્ણ રીતે પરિવારવાદ છે. લોહિયાનો પરિવાર ક્યાં દેખાય છે? જ્યોર્જ ફર્નાન્ડિસનો પરિવાર ક્યાં દેખાય છે? શું નીતિશ બાબુનો પરિવાર ક્યાંય દેખાય છે?' મને કોઈએ કહ્યું કે તેમના પરિવારમાં 25 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે.’
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કેટલાક નેતાઓ વ્યક્તિગત સ્વાર્થ માટે એકબીજાનો વિરોધ કરવા વિવિધતાનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ છેલ્લા 50 વર્ષથી આ જ કામ કરે છે, દરેક વસ્તુ પર દેશને ભાગલા પાડો અને રાજ કરો. પારિવારિક પક્ષો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે. જ્યારે પરિવાર સર્વોપરી હોય ત્યારે પરિવારને બચાવો પક્ષ બચે કે ન બચે., દેશ બચે કે ન બચે, જ્યારે આવું થાય છે ત્યારે સૌથી વધુ નુકસાન પ્રતિભાને થાય છે. જાહેર જીવનમાં વધુ પ્રતિભા હોવી જરૂરી છે.
ત્યાં જ યુપીમાં રાજકીય ગઠબંધન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે આ બે છોકરાઓની રમત પહેલા જોઈ છે. એટલો ઘમંડ હતો કે તેમણે 'ગુજરાતના બે ગધેડા' શબ્દ વાપર્યો હતો અને ઉત્તર પ્રદેશના લોકોએ તેમનો હિસાબ દેખાડી દીધો. આ સિવાય પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસની કાર્યશૈલી અને વિચારધારાનો આધાર સાંપ્રદાયિકતા, જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર છે. જો આ જ દેશની મુખ્ય ધારામાં રહી જશે તો દેશને કેટલું મોટું નુકસાન થશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર