Home /News /national-international /મુફ્તીએ ફરી પાકની કરી વકાલત, 'ભારતે પુલવામા હુમલાના પુરાવા ઈમરાનને આપવા જોઈએ'

મુફ્તીએ ફરી પાકની કરી વકાલત, 'ભારતે પુલવામા હુમલાના પુરાવા ઈમરાનને આપવા જોઈએ'

ઈમરાન ખાન નવા પીએમ છે, અને તે નવી શરૂઆતની વાત કરી રહ્યા છે તો તેમને એક મોકો આપવો જોઈએ

ઈમરાન ખાન નવા પીએમ છે, અને તે નવી શરૂઆતની વાત કરી રહ્યા છે તો તેમને એક મોકો આપવો જોઈએ

જમ્મુ-કાશ્મીરની પૂર્વ સીએમ અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ બીજેપી પર નિશાન સાધ્યુ. મુપ્તીએ કહ્યું કે, કાશ્મીરી લોકોને બીજેપી નિશાન બનાવી રહી છે. સાથે જ મુફ્તીએ કહ્યું કે, પીએમએ કાશ્મીર વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાની નીંદા કરવી જોઈએ. મુફ્તીએ પુલવામા હુમલા પર પાકિસ્તાન સાથે વાતચીત કરવાનું પમ કહ્યું. તેમણે કહ્યું કે, ઈમરાન ખાનને એક મોકો આપવો જોઈએ.

મહેબુબા મુફ્તીએ કહ્યું કે, આ સાચુ છે કે પઠાનકોટ હુમલા અને મુંબઈ હુમલાના પૂરાવા પાકિસ્તાનને આપવામાં આવ્યા હતા અને તેમણે કોઈ કાર્યવાહી નથી કરી. પરંતુ, ઈમરાન ખાન નવા પીએમ છે, અને તે નવી શરૂઆતની વાત કરી રહ્યા છે તો તેમને એક મોકો આપવો જોઈએ. આપણે પાકિસ્તાનને પુરાવા આપવા જોઈએ, પછી જોઈએ કે પાકિસ્તાન શું કરે છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, પુલવામા ઘટનામાં પાકિસ્તાનનો હાથ નથી, કોઈ પણ સબૂત વગર પાકિસ્તાનને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Imran Khan, Mehbooba mufti, Says, Should

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો