બિલાવલ ભુટ્ટોએ ફરીવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, જાણો શું કહ્યું?
ભુટ્ટોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. ઝરદારીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીની પાર્ટી દ્વારા ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ઝરદારીએ કહ્યું હતું કે ભારત સરકાર ગુજરાતના મુસ્લિમો પર ખૂબ અત્યાચાર કરી રહી છે.
ભારત સરકારના ઉગ્ર વિરોધ અને પાકિસ્તાની દૂતાવાસની બહાર દેખાવો છતાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી પર કરેલી તેમની અભદ્ર ટિપ્પણીને યોગ્ય ઠેરવી છે.
ઝરદારીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીની પાર્ટી દ્વારા ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ઝરદારીએ કહ્યું હતું કે ભારત સરકાર ગુજરાતના મુસ્લિમો પર ખૂબ અત્યાચાર કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભુટ્ટોએ કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા સાબિત કર્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓએ તેમના પર ઇનામ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં એક ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાત કહી.
બિલાવલે પોતાની વાંધાજનક ટિપ્પણીનો બચાવ કરતા કહ્યું, 'હું એક ઐતિહાસિક તથ્ય વિશે વાત કરી રહ્યો હતો અને તેઓ (ભારત)ને લાગે છે કે ઈતિહાસને યાદ કરાવવો એ પીએમ મોદી પર વ્યક્તિગત હુમલો અને અપમાન છે.
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. ઝરદારીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીની પાર્ટી દ્વારા ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ઝરદારીએ કહ્યું હતું કે ભારત સરકાર ગુજરાતના મુસ્લિમો પર ખૂબ અત્યાચાર કરી રહી છે.
બિલાવલ ભુટ્ટો જાનથી મારી નાખવાની ધમકીઓ માટે રડી પડ્યા હતા. તેમણે કહ્યું, "ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા સાબિત કર્યા છે કારણ કે તેમની પાર્ટી ભાજપના નેતાઓએ મારા માથુ કાપીને લાવીને ઈનામની જાહેરાત કરી છે."
પાકિસ્તાનના વિદેશમંત્રીએ અગાઉ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત પ્રહારો કર્યા હતા. પ્રેસ-કોન્ફરન્સમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરના નિવેદનથી ગુસ્સે થયેલા ભુટ્ટોએ વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી અને તેમને 'ગુજરાતનો કસાઈ' ગણાવ્યા. બિલાવલ ભુટ્ટોએ એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે, પરંતુ 'ગુજરાતનો કસાઈ' હજુ પણ જીવિત છે અને ભારતના વડાપ્રધાન છે.
ભુટ્ટોના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાનીઓ પાસેથી ભારતને કોઈ અપેક્ષા નથી. જયશંકરે એક કોન્ક્લેવ દરમિયાન કહ્યું હતું કે અમારા મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે તેમના વિદેશમંત્રી વિશે શું વિચારીએ છીએ.
ભારતીય વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી
બિલાવલે પીએમ મોદી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતાં બિલાવલના નિવેદનને અસંસ્કારી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે આ બતાવે છે કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓકવા માટે કયા સ્તર સુધી જઈ શકે છે.
પાકિસ્તાનને 1971ની યાદ અપાવતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બિલાવલ ભુટ્ટો કદાચ 1971ને ભૂલી ગયા છે, જ્યારે પાકિસ્તાનની સરકારે બંગાળીઓ અને હિન્દુઓની હત્યા કરી હતી.
પાકિસ્તાનને ખતરનાક આતંકવાદીઓનું આશ્રયસ્થાન ગણાવતાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે, જે આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ તરીકે રજૂ કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે પાકિસ્તાને પોતાના ગુસ્સાનો ઉપયોગ દેશનાં આતંકવાદી સંગઠનો સામે કરવો જોઈએ, જેમણે આતંકવાદને પાકિસ્તાનની નીતિ બનાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર