PoKમાં ભારતીય વાયુસેનાના હુમલા બાદ મોટા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાને ઈન્ડિયન એરફોર્સને રોકવા માટે F16 પ્લેનનો ઉપયોય કર્યો હતો. પરંતુ ભારતીય વાયુસેનાની ફોર્મેશનની સામે પાકિસ્તાનના F16 પ્લેન કંઈ જ ન કરી શક્યા અને તેને પરત જવું પડ્યું. સૂત્રો મુજબ આ ઓપરેશનને વેસ્ટર્ન એર કમાન્ડે અંજામ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદના 200થી વધુ આતંકી ઢાળી દીધા.
એરફોર્સના 12 મિરાજ ફાઇટર પ્લેનોએ પીઓકેમાં ઘૂસીને જૈશના 5 આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા. આ ઓપરેશન પીઓકેના બાલાકોટમાં કરવામાં આવ્યો, જેની વાત પાકિસ્તાને પોતે જ માની છે. સૂત્રો મુજબ આ ઓપરેશન 21 મિનિટ સુધી ચાલ્યું.
Sources: Pakistani F16s were scrambled to retaliate against IAF Mirage 2000s but turned back due to size of Indian formation. Western Air Command coordinated operation. pic.twitter.com/cCXndYNc1H