Home /News /national-international /શું પાકિસ્તાન પરમાણુ બોમ્બ વેચશે? તહરીક-એ-તાલિબાનના પત્રથી હચમચ્યું 'પાક'

શું પાકિસ્તાન પરમાણુ બોમ્બ વેચશે? તહરીક-એ-તાલિબાનના પત્રથી હચમચ્યું 'પાક'

શું પાકિસ્તાન પરમાણુ બોમ્બ વેચશે?

Pakistan Economic Crisis: પાકિસ્તાની સેનાના ઈશારે લોકોના અવાજને કચડી નાખવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. તેની આડમાં એક નેતા પર FIR અને એક પ્રકારની ધરપકડ કરવામાં આવી હતી. ફતવા વિવાદ બાદ પાકિસ્તાન સરકાર અને સેનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આવામના નામે એક પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં પાકિસ્તાનની આર્થિક દુર્દશા સહિત તમામ મુદ્દાઓ માટે પાકિસ્તાન સરકાર અને તેના કઠપૂતળી લશ્કરી જનરલને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: એટમ બોમ્બ ડીલમાં પાકિસ્તાને શું કર્યું? શું પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ શરૂ થવાનું છે? તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને હવે પાકિસ્તાની સેના દ્વારા જાહેર કરાયેલા ફતવા મામલે પાકિસ્તાનના લોકોને એક પત્ર જાહેર કર્યો છે, જેના કારણે પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સેના બંનેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
પાકિસ્તાનમાં ફતવા વિવાદ બાદ પાકિસ્તાન સરકાર અને સેનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જ્યાં એક તરફ પાકિસ્તાનના લોકોએ વિવિધ સ્થળોએ ધરણાં શરૂ કર્યા છે, તો બીજી તરફ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પાકિસ્તાનમાં રહીને આતંકી પ્રશિક્ષણ શિબિરોમાં તાલીમ લઈ હવે ભસ્માસુરની જેમ પાકિસ્તાની સેના અને સરકાર પર હાથ ઉઠાવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: 'તમારી સમસ્યાઓનો જાતે જ નિકાલ કરો, અમને...', તાલિબાને પેશાવર બ્લાસ્ટ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આવામના નામે એક પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં પાકિસ્તાનની આર્થિક દુર્દશા સહિત તમામ મુદ્દાઓ માટે પાકિસ્તાન સરકાર અને તેના કઠપૂતળી લશ્કરી જનરલને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. મામલો માત્ર પત્ર આપવા સુધીનો નથી, આલમ એ છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના લોકો ફરી ફરીને આ પત્રમાં લખેલી વાતો લોકોને તર્કના આધારે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ફતવામાં જણાવ્યું છે કે, આર્થિક સંકટ માટે કોણ જવાબદાર?

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને કહ્યું છે કે, પાકિસ્તાનની બગડતી આર્થિક સ્થિતિ માટે ભ્રષ્ટ રાજકારણીઓ અને તેમના કઠપૂતળી જનરલો જવાબદાર છે. આ બે વર્ગો જ પાકિસ્તાનની તિજોરી લૂંટી રહ્યા છે. આવા લોકોને સૈન્યમાં લાવવામાં આવે છે જે સામાન્ય લોકોના મોઢામાંથી કોળીયો આંચકી લેવામાં નિપુણતા ધરાવે છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના મતે પાકિસ્તાનના મહાન વૈજ્ઞાનિકની મહેનત પર પાણી ફેરવવામાં આવી રહ્યું છે અને એટમ બોમ્બની પણ વાટાઘાટો થઈ ગઈ છે.

તહરીક-એ-તાલિબાન દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને વિભાગ પંજાબની કિંમતી જમીનોને પોતાના નામે કરી રહ્યા છે. આડકતરી રીતે ચીન પર પણ નિશાન સાધતા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મોટર અને એરપોર્ટને લઈને દેશની તમામ સંપત્તિ દાવ પર લગાવવામાં આવી છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને લોકોને અપીલ કરી છે કે, જ્યાં સુધી આવા ભ્રષ્ટ રાજકારણીઓ અને તેમના કઠપૂતળી સેનાપતિઓને ભગાડવામાં નહીં આવે ત્યાં સુધી દેશને કોઈ ફાયદો થશે નહીં, તેથી હવે લોકોએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને સમર્થન આપવું જોઈએ.

આ પણ વાંચો: પાકિસ્તાનની મસ્જિદમાં હુમલાને લઈને ભારત સરકારની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...

તહરીક-એ-તાલિબાને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, તેમણે ભ્રષ્ટ રાજકારણીઓ અને તેમના કઠપૂતળી સેનાપતિઓને હટાવવા માટે જાન્યુઆરી મહિનામાં 40 થી વધુ હુમલા કર્યા હતા. આ દરમિયાન, ભ્રષ્ટાચારીઓને સમર્થન કરનારા ઘણા લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે, આ પત્રમાં લખેલી બાબતોને સમજાવવા માટે સામાન્ય લોકોમાં કોણ દલીલો કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારને એવી પણ ચિંતા છે કે, પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે કારણ કે ત્યાંની આર્થિક સ્થિતિ પહેલેથી જ ડગમગી ગઈ છે. ત્યાંની સરકાર અને સેના વિરૂદ્ધ લોકોમાં જે સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે તે પાકિસ્તાન સરકાર માટે સારા નથી.
First published:

Tags: Economy, Financial crisis, Nuclear weapon, Pakistan news, Taliban news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો