નૌસેનામાં બાહુબલી યુદ્ધ જહાજ સામેલ થયું છે. ભારતીય નૌસેનામાં INS મોરમુગાઓ સામેલ થયું છે. આ સાથે જ ભારતની સમુદ્રીય યુદ્ધશક્તિ ઘણી વધી જશે. મોરમુગાઓના 75 ટકા ઉપકરણો સ્વદેશી છે. INSનો 75 ટકા ભાગ પૂર્ણરૂપે સ્વદેશી છે. હિન્દ મહાસાગરમાં ચીનની હરકતો વચ્ચે આજે ભારતની તાકાત વધતાં જ ચીનના દાંત જરૂર ખાંટા થઈ જશે. આજે મુંબઈમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે ઈન્ડિયન નેવીમાં INS મોરમુગાઓને સામેલ કરાયું છે.
4 વિશાખાપટ્ટનમ શ્રેણીના ડિસ્ટ્રોયર્સમાં INS મોરમુગાઓ બીજું
નોંધનીય છે કે, મુંબઈના મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડમાં પ્રોજેક્ટ-15બી અંતર્ગત કુલ 35,800 કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવી રહેલા 4 વિશાખાપટ્ટનમ શ્રેણીના ડિસ્ટ્રોયર્સમાં INS મોરમુગાઓ બીજું છે. નવેમ્બર 2021માં આવા જ પહેલાં ડિસ્ટ્રોયરને INS વિશાખાપટ્ટનમના રૂપમાં ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું હતું. હવે INS મોરમુગાઓના સમાવેશ બાદ ઈમ્ફાલ અને સૂરત નામના ત્રીજા અને ચોથા ડિસ્ટ્રોયરને 2023-2024માં ઈન્ડિયન નેવીમાં કમિશન કરવામાં આવશે.
મોરમુગાઓ નામ ગોવાના ઐતિહાસિક શહેર મોરમુગાઓ પરથી પડ્યું
મોરમુગાઓ નામ ગોવાના ઐતિહાસિક શહેર મોરમુગાઓ પરથી પડ્યું છે, આ યુદ્ધ જહાજનું વજન 7,400 ટન વજન છે 163 મીટરની લંબાઈ તથા 17 મીટરની પહોળાઈ છે. 56 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે તે પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ સમયે બચાવ અને લડવામાં સક્ષમ છે. આ ઉપરાંત બ્રહ્મોસ, બરાક-8 અને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ જેવી ઘાતક મિસાઈલ ઉપરાંત ટોરપિટો, રોકેટ લોન્ચર, ગન સિસ્ટમ્સ અને સેન્સરથી સજ્જ છે. તેમજ જમીન કે સમુદ્રમાં 300 કિલોમીટર દૂર અને હવામાં 70 કિલોમીટર દૂર નિશાનો લગાવવામાં કારગત છે તથા ખરાબ વાતાવરણમાં પણ હેલિકોપ્ટર આસાનીથી લેન્ડ કરી શકાય તેવું આ બાહુબલી યુદ્ધ જહાજ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર