Home /News /national-international /corona pandemic! નાજુક વળાંક ઉપર ઉભી છે દુનિયા, ઓમિક્રોન અંતિમ વેરિએન્ટ નહીં હોય : WHOની ચેતવણી
corona pandemic! નાજુક વળાંક ઉપર ઉભી છે દુનિયા, ઓમિક્રોન અંતિમ વેરિએન્ટ નહીં હોય : WHOની ચેતવણી
ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસ
omicron variant news: ઓમિક્રોનના કેસોમાં (omicron case) વધારો થયો ત્યારથી વિશ્વભરમાં 8 કરોડથી વધુ કેસ નોંધાયા છે, જે વર્ષ 2020માં કુલ કેસોની સંખ્યા કરતાં વધુ છે.
નવી દિલ્હીઃ આખી દુનિયાના તમામ દેશો હાલમાં કોવિડ-19 (COVID-19)ના ખૂબ જ ખતરનાક વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) સામે લડી રહ્યા છે. ઓમિક્રોનનો આખી દુનિયામાં પ્રસરી રહ્યો છે ત્યારે તેને અટકાવવા માટે વિશ્વના તમામ દેશો આકરા નિર્ણયો લઇ દેશવાસીઓને સચેત રહેવા જણાવી રહ્યા છે.
આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે (Director General Tedros Adhanom Gabreyesse) સોમવારે કહ્યું કે, વર્તમાનમાં વૈશ્વિક સ્તરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેના કારણે વધુ ભિન્નતાઓવાળા વેરિએન્ટને ઉભરવામાં મદદ મળશે. કહેવાનો મતલબ એ છે કે હાલની પરિસ્થિતિ કોવિડ-19ની અન્ય જાતોના વિકાસ માટે અનુકૂળ છે.
ઓમિક્રોનના કેસોમાં વધારો થયો ત્યારથી વિશ્વભરમાં 8 કરોડથી વધુ કેસ નોંધાયા છે, જે વર્ષ 2020માં કુલ કેસોની સંખ્યા કરતાં વધુ છે. WHOના વડાએ વધુમાં જણાવતા કહ્યું કે આ વર્તમાન મહામારી કોવિડ-19નો કોઇ છેલ્લો પ્રકાર નથી. જોકે ગ્રેબ્રેયસસે ખાતરી આપી હતી કે COVID-19 ગ્લોબલ હેલ્થ એજન્સી અને "રોગચાળોના તીવ્ર તબક્કો" આ વર્ષે જ સમાપ્ત થઈ શકે છે પરંતુ તેના માટે તમામ દેશો દ્વારા વ્યૂહરચના અને સાધનોનો વ્યાપક ઉપયોગ કરવાની જરૂર છે.
WHO ચીફે આ બાબતો પર ભાર મૂક્યો હતો આ સ્થિતિને પહોંચી વળવા માટે માટે તેમણે કહ્યું કે દુનિયાન તમામ દેશોએ તેમની વસ્તીના ઓછામાં ઓછા 70% રસીકરણનું લક્ષ્ય રાખવું જોઈએ. વૃદ્ધો, પુખ્ત વયના લોકો, આરોગ્ય કર્મચારીઓ અને બીમાર લોકો જેવા ઉચ્ચ પ્રાથમિકતાવાળા જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ગ્રેબ્રેયસસે વધુમાં જણાવ્યું કે દેશોએ કોવિડ-19 પરીક્ષણને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભવિષ્યમાં કોરોનાના વધુ પ્રકારો શોધવાની અને રોગચાળાને લગતી સમસ્યાઓના ઉકેલો શોધવાની જરૂર છે અને કટોકટી સમાપ્ત થવાની રાહ જોવી નહીં.
ન્યૂઝ એજન્સી રાયોટર્સ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીના વડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,‘કોવિડ-19 રોગચાળો હવે ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને આપણે નિર્ણાયક તબક્કમાં છીએ. આ રોગચાળાના તીવ્ર તબક્કાને સમાપ્ત કરવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. આપણે ગભરાટમાં તેને વધવા દેવું ન જોઇએ."
બીજી તરફ ભારતમાં એક દિવસમાં કોવિડ-19ન 3,06,064 નવ કેસ સામે આવ્યા બદ દેશમાં કોરોન સંક્રમિતોની સંખ્યા 3,95,43,328 પર પહોંચી ગઇ છે. ત્યાં જ સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 22,49,335 પર પહોંચી ગઇ છે. જે 241 દિવસમાં સૌથી વધુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર