ઓરિસ્સાના કોરાપુટ જિલ્લાના આંચલા ગામની મહિલાઓએ નજીકના જંગલને પુનર્જીવિત કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તે હવે ગાઢ અને ચારેય તરફ લીલોતરી દેખાય છે, અને તેમાંથી પાણી વહે છે. તેમજ ગ્રામજનોના ઘર અને ખેતરોમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે જે એક અલગ જ અનુભૂતિ કરાવે છે. પોતાની મહેનતનું વર્ણન કરતાં આ મહિલાઓ કહે છે કે આ પરિવર્તનમાં 30 વર્ષ લાગ્યાં.
ઓરિસ્સાના કોરાપુટ જિલ્લાના આંચલા ગામની મહિલાઓએ નજીકના જંગલને પુનર્જીવિત કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તે હવે ગાઢ અને ચારેય તરફ લીલોતરી દેખાય છે, અને તેમાંથી પાણી વહે છે. તેમજ ગ્રામજનોના ઘર અને ખેતરોમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે જે એક અલગ જ અનુભૂતિ કરાવે છે. પોતાની મહેનતનું વર્ણન કરતાં આ મહિલાઓ કહે છે કે આ પરિવર્તનમાં 30 વર્ષ લાગ્યાં.
તે 1990ના દાયકાની શરૂઆતની વાત હતી, જ્યારે ઓડિશાના કોરાપુટ જિલ્લાના આંચલા ગામમાં માલી 'પર્વત'માંથી વહેતો પ્રવાહ લગભગ સુકાઈ ગયો હતો અને દૂર દૂર સુધી કોઈ હરિયાળી દેખાતી નહોતી. દરમિયાન ગ્રામજનોએ આ પર્વતને હરિયાળો બનાવવાનો નિર્ણય કર્યો.
ગ્રામજનોએ સામૂહિક રીતે ખાવાનું બનાવવા માટે બળતણ માટે લાકડા પરની તેમની નિર્ભરતા ઓછી કરી અને ટકાઉ, જૈવિક અને પર્યાવરણને અનુકૂળ ખેતી અપનાવી. ખાસ વાત એ છે કે આ બધું મહિલાઓના નેતૃત્વમાં થયું હતું. આંચલાની આસપાસ હવે 250 એકરનું લીલું પહાડી જંગલ છે. આમાંથી નીકળતું પાણી તેમના ખેતરોમાં શાકભાજી અને અન્ય કૃષિ પેદાશોની સિંચાઈ કરે છે અને આ ઉત્પાદનો તેમની ઘરેલું જરૂરિયાતો પૂરી કરે છે.
લાકડા કાપનાર પર 500 રૂપિયાનો કડક દંડ
ગામમાં રહેતી શુપર્ણા નામની એક મહિલાએ જણાવ્યું હતું કે, “અમે લાકડા કાપનાર કોઈપણ વ્યક્તિ પર રૂ. 500નો કડક દંડની જોગવાઈ કરી છે અને એવું વાતાવરણ ઊભું કર્યું હતું જેમાં વ્યક્તિને જાહેરમાં લાકડા કાપવાની તેની ભૂલનો અહેસાસ કરાવવામાં આવે.
અમે તેમને તેમના કાર્યો માટે દોષિત મહેસૂસ કરાવ્યા, એમ તેમણે કહ્યું. થોડા સમય પછી આ પ્રયાસ રંગ લાવ્યો અને વધુને વધુ લોકો અમારી ચળવળમાં જોડાવા લાગ્યા. ગામમાં દેખરેખ માટે ચોકીદાર નિયુક્ત કર્યો. જંગલ વિસ્તારમાં લાકડા કાપવા માટે કોઈ ગેરકાયદેસર રીતે પ્રવેશ ન કરે તેની ખાતરી કરવા માટે, એક પરિવારને સાંજથી સવાર સુધી જંગલની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું.
પહેલા લોકો કોલસા અને લાકડા પર નિર્ભર હતા
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં સામેલ મહિલાઓમાંની એક લાલી (65) એ સમજાવ્યું કે શા માટે જંગલનું વધુ પડતું શોષણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ નહોતા, તેથી આખું ગામ રસોઈ માટે લાકડા અને કોલસા પર નિર્ભર હતું.
તેમણે કહ્યું કે અમે અમારી રસોઈની આદતો બદલી નાખી છે. લાકડા અને કોલસાનો ઉપયોગ ઓછો કરવા માટે અમે બળતણ માટે ઓછા લાકડા પર નિર્વાહ કર્યો અને ત્રણ લોકો માટે ખાવાનું એકસાથે બનાવવામાં આવતું. તે જ સમયે, અમે પર્વત પર વૃક્ષો વચ્ચે આમલી, ચંદન અને લીમડાના છોડ રોપવાનું શરૂ કર્યું.
તેનું પ્રથમ પરિણામ છ મહિના પછી જોવા મળ્યું. સવિતાએ કહ્યું, 'જ્યારે પહેલું રોપ ઊગ્યું ત્યારે અમારા ગામમાં તહેવાર જેવો માહોલ હતો.' આ મહિલાઓની મહેનત ધીમે ધીમે રંગ લાવી અને આંચલાના માલી પરબતનું જૂનું સ્વરૂપ પાછું આવ્યું.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર