Home /News /national-international /રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંવિધાન સંશોધન બિલ પાસ, પક્ષમાં 187 વોટ, વિરોધમાં એકપણ વોટ ના પડ્યો

રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંવિધાન સંશોધન બિલ પાસ, પક્ષમાં 187 વોટ, વિરોધમાં એકપણ વોટ ના પડ્યો

રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંવિધાન સંશોધન બિલ પાસ

OBC Bill Latest Updates- આ બિલના રાજનીતિક પરિણામોને જોતા કોઇપણ પાર્ટી તેનો વિરોધ કરવાનું જોખમ લેવા માંગતી નથી

નવી દિલ્હી : ઓબીસી અનામત સંવિધાન સંશોધન બિલ (obc amendment bill pass)લોકસભામાં પાસ થયા પછી હવે રાજ્યસભામાં (Rajya Sabha)પણ સર્વસંમતિથી પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં આ બિલના (OBC Bill Latest Updates)પક્ષમાં 187 વોટ પડ્યા છે જ્યાપે વિરોધમાં એકપણ વોટ પડ્યો નથી. રાજ્યસભામાં પાસ થયા પછી આ બિલને હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

સંસદમાં કોઈ બિલના વિરોધમાં એકપણ વોટ ના પડે આવું ભાગ્યે જ બને છે. પેગાસસ અને કૃષિ કાનૂનોના મુદ્દા પર સંસદની કાર્યવાહીમાં સતત હંગામો કરી રહેલી વિપક્ષી પાર્ટીઓએ પહેલા જ બિલના સમર્થનમાં જાહેરાત કરી હતી. જાહેર છે કે આ બિલના રાજનીતિક પરિણામોને જોતા કોઇપણ પાર્ટી તેનો વિરોધ કરવાનું જોખમ લેવા માંગતી નથી.

લોકસભામાં પણ બહુમતીથી પાસ થયું હતું

રાજ્યોને પોતાના ઓબીસી (અન્ય પછાત વર્ગ) લિસ્ટ (obc list)બનાવવાનો અધિકાર આપનાર સંવિધાન સંશોધન વિધેયક મંગળવારે લોકસભામાં પાસ થયું હતું. લોકસભામાં (lok sabha) પક્ષ-વિપક્ષ બધાએ બિલના સમર્થનમાં વોટ આપ્યા હતા. બિલના સમર્થનમાં 385 વોટ જ્યારે વિરોધમાં એકપણ વોટ પડ્યો ન હતો. લોકસભામાં સરકારે સોમવારે ઓબીસી સંબંધિત (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું, જે રાજ્યને સરકાર અને સંઘ રાજ્ય ક્ષેત્રને સામાજિક તથા શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની સ્વંય રાજ્ય સૂચી/સંઘ રાજ્ય ક્ષેત્ર સૂચી તૈયાર કરવા માટે સશક્ત બનાવે છે. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે (Virendra Kumar)અન્ય પછાત વર્ગ સંબધિત સંવિધાન (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું.

આ પણ વાંચો - હવે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકશે પોતાનું OBC લિસ્ટ, લોકસભામાં બિલ પાસ

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે 5 મે ના રોજ એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યોને સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત લોકોને નોકરી અને એડમિશનમાં અનામત આપવાનો અધિકાર નથી. આ માટે જજોએ 102ના સંવિધાનનો હવાલો આપ્યો હતો.
" isDesktop="true" id="1123356" >

વિધેયકના ઉદ્દેશ્યો અને કારણોમાં કહેવામાં આવ્યું છે કે સંવિધાન 102મું અધિનિયમ 2018ને પારિત કરતા સમયે ઉદ્દેશ્ય એ હતો કે આ સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની કેન્દ્રીય સૂચિથી સંબંધિત છે. આ એ તથ્યને માન્યતા આપે છે કે 1993માં સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની સ્વંયની કેન્દ્રીય સૂચીની જાહેરાત પૂર્વ ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અન્ય પછાત વર્ગોની પોતાની રાજ્ય સૂચી/સંઘ રાજ્ય ક્ષેત્ર સૂચી છે.
First published:

Tags: OBC Bill, રાજ્યસભા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો