દિગ્વિજય સિંહે કહ્યું, 'પુલવામામાં અમારા 40 CRPF જવાન શહીદ થયા. CRPF અધિકારીઓએ PM મોદીને વિનંતી કરી હતી કે જવાનોને એરલિફ્ટ કરવામાં આવે, પરંતુ PM મોદી માન્યા ન હતા, આવી ભૂલ કેવી રીતે થઈ? આજ સુધી પુલવામા પર કોઈ રિપોર્ટ સંસદ સમક્ષ મૂકવામાં આવ્યો નથી.
જમ્મુ-કાશ્મીરઃ પુલવામા આતંકી હુમલા બાદ કોંગ્રેસે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈકને જુઠ્ઠાણું ગણાવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં, સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે 'તેઓ સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરે છે પરંતુ તેના કોઈ પુરાવા નથી, તેઓ માત્ર જૂઠું બોલીને રાજ કરી રહ્યા છે'.
તેમણે કહ્યું કે કેન્દ્રએ અત્યાર સુધી સર્જિકલ સ્ટ્રાઈક કે પુલવામા આતંકી હુમલા અંગે કોઈ રિપોર્ટ સંસદ સમક્ષ મૂક્યો નથી. તેમણે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો.
#WATCH | J&K: They (Centre) talk about surgical strikes and that they have killed so many of them but there is no proof: Congress leader Digvijaya Singh pic.twitter.com/3ovyecOpT9
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની આ ટિપ્પણી સોમવારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાના જમ્મુ તબક્કા દરમિયાન આવી હતી. તેમણે કહ્યું, 'તેઓ (કેન્દ્ર સરકાર) સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરે છે કે અમે ઘણા લોકોને માર્યા છે, પરંતુ કોઈ પુરાવા નથી, તેઓ માત્ર જુઠ્ઠાણાના પોટલાંથી રાજ કરી રહ્યા છે.' હું તમને કહેવા માંગુ છું કે આ દેશ દરેકનો છે. 2019માં, પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિગ્વિજય સિંહે કહ્યું, 'પુલવામામાં અમારા 40 CRPF જવાન શહીદ થયા. CRPF અધિકારીઓએ PM મોદીને વિનંતી કરી હતી કે જવાનોને એરલિફ્ટ કરવામાં આવે, પરંતુ PM મોદી માન્યા ન હતા, આવી ભૂલ કેવી રીતે થઈ? આજ સુધી પુલવામા પર કોઈ રિપોર્ટ સંસદ સમક્ષ મૂકવામાં આવ્યો નથી. સર્જિકલ સ્ટ્રાઇક્સ 2016 માં કરવામાં આવી હતી, ઉરી આતંકવાદી હુમલાના લગભગ 10 દિવસ પછી, જ્યાં ચાર આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં આર્મીના 12 બ્રિગેડ હેડક્વાર્ટર પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં 18 સૈનિકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું, "સરકારે દાવો કર્યો કે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી પરંતુ પુરાવા દર્શાવ્યા નથી, તેઓ માત્ર જૂઠું બોલે છે."
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર