Home /News /national-international /Lockdown in Bihar: કોરોનાને લઈ નીતીશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં 15 મે સુધી લૉકડાઉન

Lockdown in Bihar: કોરોનાને લઈ નીતીશ સરકારનો મોટો નિર્ણય, બિહારમાં 15 મે સુધી લૉકડાઉન

બિહારમાં કોરોનાની બીજી લહેરથી ઊભી થયેલી સંકટની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યમાં લાગુ કર્યું લૉકડાઉન

બિહારમાં કોરોનાની બીજી લહેરથી ઊભી થયેલી સંકટની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યમાં લાગુ કર્યું લૉકડાઉન

પટના. બિહાર (Bihar)માં કોરોના સંકટ (Corona Second Wave)ને ધ્યાને લઈ 15 મે સુધી લૉકડાઉન (Bihar Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. સરકારના તમામ દાવાઓ છતાંય બિહારમાં કોરોનાના પ્રસાર પર નિયંત્રણ નહોતું થઈ રહ્યું. આ કારણે નીતીશ કુમાર સરકારે લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar)એ ટ્વીટ કર્યું છે.

મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને લખ્યું કે, કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે, 2021 સુધી લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિસ્તૃત માર્ગદર્શિકા તથા અન્ય ગતિવિધિઓના સંબંધમાં આજે જ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (Crisis Management Group) ને કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો, કોરોનાથી સાજા થયા બાદ ભૂલ્યા વગર કરાવો આ ટેસ્ટ, બેદરકારીથી વધી શકે છે મુશ્કેલીઓ

કોરોનાથી સતત થઈ રહ્યા છે મોત

બિહારમાં કોરોનાથી થનારા મોતની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. એવામાં અનેક સમૂહો તથા સંગઠનોથી બિહારમાં લૉકડાઉનની માંગ ઊભી થઈ રહી હતી. સોમવારે તો પટના હાઈકોર્ટે પણ સરકારને પૂછ્યું હતું કે બિહારમાં ક્યારે લૉકડાઉન લાગુ કરવામાં આવશે? જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવાની માંગ કરી હતી. આ પરિસ્થિતિ વચ્ચે લૉકડાઉન પર નિર્ણય લેવાની શક્યતા હતી.

આ પણ વાંચો, કોરોના સંક્રમિત નિવૃત્ત અધિકારીએ હૉસ્પિટલના ત્રીજા માળેથી ઝંપલાવ્યું, મોત

પટના હાઇકોર્ટે પણ પૂછ્યા હતા સવાલ

નોંધનીય છે કે, પટના હાઇકોર્ટે પણ બિહારમાં કોરોના સંક્રમણના કારણે બગડતી સ્થિતિ પર પોતાની નારાજગી વ્યક્તિ કરી હતી. સોમવારે જસ્ટિસ ચક્રધારી શરણ સિંહ અને જસ્ટિસ મોહિત કુમાર શાહની બેન્ચે બિહાર સરકારને પૂછ્યું હતું કે બિહારમાં લૉકડાઉન લાગુ કરવાની શું તૈયારી છે. ક્યાં સુધીમાં રાજ્યમાં પૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે. હાઈકોર્ટે સુનાવણી કરતાં સરકારની સિસ્ટમને નિષ્ફળ ગણાવી હતી. સાથોસાથ રાજ્ય સરકારને આ મામલા પર મંગળવાર એટલે કે આજે જવાબ આપવા માટે કહ્યું હતું.
First published:

Tags: Corona Second Wave, Coronavirus, COVID-19, Curfew, Lockdown, Nitish Kumar, કોરોના, બિહાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો