પવન શર્મા, નવી દિલ્હી. ભારત વિરોધી ગતિવિધિઓ (Anti-India Activities)માં સામેલ થવા અને ટેરર ફંડિંગની આશંકામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigate Agency- NIA)એ રવિવાર વહેલી સવારે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં એક સાથે 50થી વધુ લોકેશન પર દરોડા (Raid) પાડ્યા છે. સૂત્રો મુજબ, કાશ્મીરની સાથોસાથ જમ્મુના અલગ-અલગ જિલ્લાઓમાં જમાત-એ-ઈસ્લામી (Jamaat-e-Islami) સાથે જોડાયેલા સંગઠનો અને એનજીઓના કાર્યાલયો તથા ઘરો પર રવિવાર સવારથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
મળતી જાણકારી મુજબ, રવિવાર સવારે લગભગ પાંચ વાગ્યે NIAએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોની સાથે અલગ-અલગ લોકેશન પર દરોડા પાડ્યા. અહેવાલ છે કે આ દરોડા ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેલા લોકોના ઘરો પર પાડવામાં આવ્યા છે.
National Investigation Agency (NIA) is conducting raids at multiple locations in Jammu and Kashmir related to a terror funding case
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, આ દરોડામાં ડિજિટલ એવિડન્સની સાથોસાથ અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, NIAએ પોતાના રિપોર્ટના આધારે થોડાક મહિનાઓ પહેલા જમાત-એ-ઈસ્લામીની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ દરોડામાં એનઆઇએના પાંચ એસપી અને 150થી વધુ અધિકારી સામેલ છે. દરોડા કિશ્તવાડ, ડોડા, રામબન, રાજૌરી, બારામુલા, પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, બડગામ અને શ્રીનગરમાં હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ મુખ્ય સંદિગ્ધ અપરાધોના ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી
1. ગુલ મોહમ્મદ વાર- ગંદેરબલનો રહેવાસી આ શખ્સ જમાત-એ-ઈસ્લામી સંગઠનનો જિલ્લા પ્રમુખ છે. 2. અબ્દુલ હમીદ ભટ- ગમચીપુર વિસ્તારનો રહેવાસી છે. 3. જહુર અહમદ રેશી- જમાત-એ-ઈસ્લામીનો સભ્ય અને ફલાહ-એ-આમ ટ્રસ્ટમાં શિક્ષક છે. હાલ સફાપોરામાં એક દુકાનનો માલિક છે. 4. મેરાજુદ્દીન રેશી- તે પહેલા આતંકી રહી ચૂક્યો છે. હાલ તે દુકાનદાર છે.
એનઆઇએના અધિકારીઓ મુજબ, તપાસ દરમિયાન ઘણા અગત્યના પુરાવા અને દસ્તાવેજોને જપ્ત કરીને એનઆઇએની ટીમ હવે વધુ તપાસ કરશે. તેની સાથે જ આતંકવાદીઓ સાથે જોડાયેલા કનેક્શન વિશે તપાસ કરવા માટે આવનારા સમયમાં અનેક લોકોના નિવેદન નોંધવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર