કાઠમંડુઃ નેપાળ (Nepal)ના વડાપ્રધાન કેપી શર્મા ઓલી (KP Sharma Oli)ની અયોધ્યા (Ayodhya) અને ભગવાન રામ (Lord Rama) ને લઈ કરવામાં આવેલી પાયાવિહોટી ટિપ્પણીને લઈ હવે તેઓ પોતાના દેશમાં જ ઘેરાતા હોય એવું લાગી રહ્યું છે. ઓલીના આ નિવેદનને સોશિયલ મીડિયા (Social Media) પર મજાક ઉડાડવામાં આવી રહી છે ઉપરાંત અનેક મોટા નેતાઓએ પણ તેને લઈને આપત્તિ વ્યક્ત કરી છે. ત્યાં સુધી કે નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP) પહેલા જ ઓલીને ભારત વિરોધી નિવેદનોને લઈ ચેતવણી આપી ચૂકી છે. એવામાં તેમનું આ નિવેદન નેપાળમાં ભારે રાજકીય સંકટની હવા આપનારું સાબિત થઈ શકે છે.
નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પ હદલ કમલ પ્રચંડ પાર્ટી મીટિંગ દરમિયાન ઓલીને પહેલા પણ નિવેદનોને કન્ટ્રોલમાં રાખવાની સલાહ આપી ચૂક્યા છે. પ્રચંડે ઓલીની આકરી ટીકા કરી હતી, જ્યારે તેઓએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં બેસીને તેમણે ખુરશીથી હટાવવાની કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. હવે ઓલીએ એવો દાવો કરી દીધો છે કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે. જ્યારે અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીએ સવાલ કર્યો કે તે સમયે આધુનિક પરિવહનના સાધન અને મોબાઇલ ફોન નહોતા તો રામ જનકપુર સુધી કેવી રીતે આવ્યા?
નેપાળી લેખક અને પૂર્વ વિદેશ મંત્રી રમેશનાથ પાંડેએ ટ્વિટ કર્યું કે, ધર્મ રાજકારણ અને કૂટનીતિથી ઉપર છે. આ એક મોટો ભાવનાત્મક વિષય છે. આવા નિવેદનોથી તમે માત્ર શરમ જ અનુભવો છો. અને જો અસલી અયોધ્યા બીરગંજની પાસે છે તો પછી સરયૂ નદી ક્યાં છે?
Religion is above politics & diplomacy. Its a highly emotive issue. Ridiculous statements only cause embarrassment. If Ayodhya is near Birgunj, where is the Sarayu river ?
— Ramesh Nath Pandey (@rameshnathpande) July 13, 2020
નેપાળના પૂર્વ વડાપ્રધાન બાબૂરામ ભટ્ટારાઇએ ઓલીના નિવેદન પર વ્યંગ કર્યું છે. તેઓએ એક ટ્વિટમાં લખ્યું કે, આદિ-કવિ ઓલી દ્વારા રચિત કલ યુગની નવી રામાયણ સાંભળો, સીધા વૈંકુઠ ધામની યાત્રા કરો.
आधी-कवि ओलीकृत कलीयुगीन नयाँ रामायण श्रवण गरौं! सिधै बैकुण्ठधामको यात्रा गरौं ! https://t.co/yDepnuFCFY
નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ના ઉપ-પ્રમુખ બિષ્ણુ રિજલે લખ્યું કે, આવું કહેવું એક મોટો ભ્રમ છે કે કોઈ વ્યક્તિ અપ્રમાણિક, પૌરાણિક અને વિવાદાસ્પદ વાતો કહીને વિદ્વાન બની જાય છે. આ ઉર્ભાગ્યપૂર્ણ છે ઉપરાંત રહસ્યમય પણ છે કે કેવી રીતે વિરોધ અને ઉશ્કેરણી માટે રોજ જવા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.
पदमा बसेर बेतुकका र असान्दर्भिक कुरा बोल्दा राष्ट्रकै शीर झुक्छ ।अप्रमाणित, पौराणिक र विवादास्पद कुरा बोलेर विद्वान भइन्छ भन्नु ठूलो भ्रम हो । फुकीफुकी पाइला चालेर भूमि फिर्ता ल्याउनुपर्ने बेलामा विरोध र उत्तेजनाका लागि एकपछि अर्को मसला दिइनु दुर्भाग्यपूर्ण मात्र होइन, रहस्यमय छ।
રાજીનામાથી ધ્યાન હટાવવાનો પ્રયાસ : ઓલીના આ નિવેદનને તેમના રાજીનામાથી ધ્યાન હટાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી બે ટુકડા થવાના આરે છે અને આવું ન થાય તેના માટે પ્રચંડ સમર્થકોએ એક જ શરત મૂકી છે કે ઓલી રાજીનામું આપી દે. જોકે અહેવાલો મુજબ, બજેટ સત્રને સ્થગિત કર્યા બાદ હવે કેપી ઓલી એક અધ્યાદેશ લાવીને પાર્ટીને તોડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર