જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ રાજકારણમાં દિવસેને દિવસે નીચી જતી ભાષાના પ્રયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. નેશનલ કોન્ફરન્સના પૂર્વ અધ્યક્ષ અબ્દુલ્લાએ આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આડે હાથ લીધા છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તીવારીના પુસ્તક 'ફેબલસ ઓફ ફ્રેક્ચર્ડ ટાઈમ્સ'ના વિમોચનના અવસર પર દિલ્હી આવેલા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, 'આજે રાજનીતિનું સ્તર એટલી હદે નીચુ થઈ ગયું છે કે, લોકો દેશ માટે નહેરૂએ આપેલા યોગદાનને સાવ ભૂલી ગયા છે. ઈન્દીરા ગાંધીએ આ દેશ માટે પોતાનો જીવ આપ્યો. રાજીવ ગાંધી અને અન્ય પ્રધાનમંત્રીઓએ પણ દેશને એક બનાવવા માટે પોતાની આખી જિંદગીનો સમય આપી દીધો. જો આપણે આજે અહીં બેઠા છીએ તો, તેમના કારણથી જ બેઠા છીએ'.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા અબ્દુલ્લાએ કહ્યું કે, પરંતુ 'આજે શું થઈ રહ્યું છે. મારી માને ગાળ આપવામાં આવે છે, મારા બાપને ગાળો આપવામાં આવી રહી છે. શું આ પ્રધાનમંત્રીનું સ્તર છે'. મે ક્યારે પણ પોતાની વાતમાં પોતાના માતા-પિતાનો ઉપયોગ નથી કર્યો. આ દેશના પ્રધાનમંત્રી હોવાના કારણે તેમણે ખુબ વિચારીને બોલવું જોઈએ.
But what we are talking about? Meri maa ko gaali diya, mere baap ko gaali diya. Is that the level of the PM? I have never used my father and my mother in my language. As PM of this nation, he has to think in a bigger way: Farooq Abdullah in Delhi (26.11.2018) https://t.co/dfLOYxbuUd
ફારૂક અબ્દુલ્લાએ આ દરમ્યાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયીને યાદ કરતા કહ્યું કે, બાજપેયીજીએ મને જણાવ્યું હતું કે, જ્યારે તેમણે પોતાનું પહેલું ભાષણ આપ્યું, ત્યારે નહેરૂએ તેમની પાસે જઈ કહ્યું હતું કે, અટલ તમે એક દિવસ દેશના પ્રધાનમંત્રી બનશો. અટલ આરએસએસથી આવતા હતા, પરંતુ તેમના ખબર હતી કે, દેશ એક વ્યક્તિથી નહી પરંતુ બધાને જોડીને બને છે, અને ભૂતકાળમાં જે લોકોએ આ દેશને બનાવવામાં પોતાનું .યોગદાન આપ્યું છે, તેને ભૂલાવી ન શકાય.
AB Vajpayee told me that when he made his 1st speech, Nehru went to him&said 'Atal you'll be the PM of this nation one day.'He coming from RSS background, realised that this nation can't be built by one but by all&those who built this in past can't be forgotten: F Abdullah(26.11) pic.twitter.com/eMU2Veqaaf
ફારૂક અબ્દુ્લાએ આ દરમ્યાન કોંગ્રેસને લઈ પણ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસથી પણ મને એક ફરિયાદ છે કે તેમણે અટલ બિહારી બાજપાયીને તે સમયે ભારત રત્ન આપવો જોઈતો હતો, જ્યારે તે આપણા વચ્ચે હતા અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર