Home /News /national-international /યોગી આદિત્યનાથે News18 સાથે Exclusive ઇન્ટરવ્યૂમાં કહ્યું- મારો સંબંધ મુસલમાન સાથે તેવો જ છે, જેવો તેમનો સંબંધ મારી સાથે છે

યોગી આદિત્યનાથે News18 સાથે Exclusive ઇન્ટરવ્યૂમાં કહ્યું- મારો સંબંધ મુસલમાન સાથે તેવો જ છે, જેવો તેમનો સંબંધ મારી સાથે છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે Network18 ના એમડી અને ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી

Assembly Elections 2022 - ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણા મુદ્દા પર પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો

લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી-2022ને (Assembly Elections 2022) લઇને હાલના દિવસોમાં રાજનીતિમાં ગરમીનો પારો ચરમ પર છે. તમામ દળોના નેતા સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બધા મતદાતાઓને પ્રભાવિત કરવામાં લાગ્યા છે. આવામાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (Yogi Adityanath) મુસલમાનોને લઇને બેબાક ટિપ્પણી સામે આવી છે. સીએમ યોગી આદિત્યનાથને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમનો મુસલમાનો સાથે શું સંબંધ છે? તેના પર સીએમ યોગીએ કહ્યું કે મારો સંબંધ તેમની (મુસલમાનો) સાથે તેવો જ છે, જેવો તેમનો સંબંધ મારી સાથે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાત Network18 ના એમડી અને ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં (Yogi Adityanath Exclusive Interview)કરી હતી.

મુસલમાનોને ટિકિટ ના આપવા પર યોગી આદિત્યનાથે શું કહ્યું

યૂપીમાં કોઇ મુસલમાન ઉમેદવારને ટિકિટ ના આપવાના સવાલ પર સીએમ યોગીએ કહ્યું કે યૂપી સરકારમાં અમારી સાથે એક મુસ્લિમ મંત્રી મોહસિન રજા છે. કેન્દ્ર સરકારમાં નકવી જી મંત્રી છે. બીજા પણ આ પ્રકારના ચહેરા છે. આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. અમારો કોઇ ધર્મ, જાતિથી વિરોધ નથી પણ હા જેમનો વિરોધ ભારત અને ભારતીયતાથી હશે સ્વાભાવિક રીતે તે અમારા દુશ્મન છે. જે ભારતને પ્રેમ કરે છે. તેને ગળે લગાવીએ છીએ, સન્માન આપીએ છીએ.

આ પણ વાંચો - CM Yogi Interview: News 18 સાથે વાતચીતમાં સીએમ યોગીએ કહ્યું- યૂપીમાં ભાજપા ફરીથી 300 સીટોનો લક્ષ્યાંક પાર કરશે

અંતત: આ ચૂંટણી 80-20ની હશે - સીએમ યોગી

ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણા મુદ્દા પર પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. સીએમ યોગીએ કહ્યું કે સપાને થયેલા સર્વેને જોઇ લો. સપા નીચે તરફ જઈ રહી છે. બીજેપી ઉપર તરફ આવી રહી છે. આજે ઘણી સ્પષ્ટ સ્થિતિ છે કે બીજેપી 300થી વધારે સીટ જીતશે. આ ચૂંટણી અંતત: 80-20ની થવાની છે. 80 ટકા જનતાનું સમર્થન બીજેપી અને 20માં બાકી બધા.



યૂપીમાં સુરક્ષાના માહોલને માતાઓ-બેટીઓએ હાથો-હાથ લીધો - સીએમ યોગી

આ 20 લોકો કોણ છે તે સવાલ પર સીએમ યોગીએ કહ્યું કે આ તે લોકો છે જેમને ગુંડા ટેક્સ પસંદ હતો. ચહેરા જોઈને યોજનાઓેને બંદરબાટ કરનાર લોકો છે. જેમને બેટીઓની સુરક્ષા પસંદ ન હતી. 80-20ને સમજાવતા સીએમ યોગીએ કહ્યું કે જે પણ વિકાસને પસંદ કરે છે તે બીજેપી સાથે આવશે.

આ પણ વાંચો - Exclusive Interview:સતત કેમ કહી રહ્યા છે ગરમી ઉતારી દઇશું, શિમલા બનાવી દઇશું? સીએમ યોગીએ કર્યો ખુલાસો

ગરમી વધારવાના નિવેદન પર સીએમ યોગીએ કહ્યું કે શું કેરાનાના વેપારીઓને સુરક્ષા મેળવવાનો અધિકાર નથી. શું પશ્ચિમી યૂપીની બેટીઓને સુરક્ષા મેળવવાનો અધિકાર નથી. સીએમ યોગીએ કહ્યું કે બીજેપી સરકારે સુરક્ષાનું જે વાતાવરણ આપ્યું છે આ કાર્યને માતાઓ અને બહેનોએ હાથો હાથ લીધા છે. જે લોકો પહેલા પલાયન માટે જવાબદાર હતા, આપરાધિક દુનિયામાં પોતાને શહેનશાહ માનતા હતા તે સાડા ચાર વર્ષ સુધી બિલોમાં સંતાઇ ગયા હતા. સીએમ યોગીએ પોતાનું નિવેદન ફરી દોહરાવતા કહ્યું કે 10 માર્ચ પછી ગરમી શાંત થઇ જશે.
First published:

Tags: Assembly elections 2022, CM Yogi Adityanath, Elections 2022, UP Elections 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો