નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) એ કહ્યું છે કે ચીનની સાથે સરહદ વિવાદ (India China Face off)નું સમાધાન તમામ સમજૂતી અને સહમતિઓનું સન્માન કરતાં અને એકતરફી રીતે યથાસ્થિતિમાં ફેરફારના પ્રયાસ કર્યા વગર જ પ્રસ્તાવિત કરવું જોઈએ. તેઓએ આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. એસ. જયશંકરે લદાખની સ્થિતિને 1962ના સંઘર્ષ બાદ ‘સૌથી ગંભીર’ ગણાવી અને કહ્યું કે બંને તરફથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હજુ તૈનાત સુરક્ષા દળોની સંખ્યા પણ ‘અભૂતપૂર્વ’ છે.
વિદેશ મંત્રીએ આ ઉપરાંત કહ્યું કે, તમામ સરહદી સ્થિતિઓનું સમાધાન ડિપ્લોમેટિકના માધ્યમથી થયું. પોતાના પુસ્તક ‘ધ ઈન્ડિયા વેઃ સ્ટ્રેટેજિક ફોર એન અનસર્ટેન વર્લ્ડ’ (INDIA WAY: Strategies for an Uncertain World) ના લોકાર્પણથી પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીનની સાથે સરહદ વિવાદનું સમાધાન તમામ સમજૂતી અને સહમતિઓનું સન્માન કરીને અને એકતરફી રીતે યથાસ્થિતિમાં ફેરફારના પ્રયાસ કર્યા વગર પ્રસ્તાવિત કરવું જોઈએ. તેઓેએ આ મુદ્દા પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું.
પોતાના પુસ્તકના લોકાર્પણ પહેલા રેડિફ ડોટ કોમને આપેલા ઇન્ટરવ્યૂમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, જેમ કે તમે જાણો છો, આપણે ચીનની સાથે ડિપ્લોમેટિક અને સૈન્ય બંને માધ્યમોથી વાતચીત કરી રહ્યા છીએ. હકિકતમાં બંને સાથે ચાલી રહ્યા છે. તેઓએ કહ્યું કે, પરંતુ જ્યારે વાત સમાધાન શોધવાની હોય છે, ત્યારે આ તમામ સમજૂતી તથા સહમતિઓનું સન્માન કરીને પ્રસ્તાવિત કરવું જોઈએ અને એકતરફી રીતે યથાસ્થિતિમાં ફેરફારનો પ્રયાસ ન થવો જોઈએ.
વિદેશ મંત્રીને એવું પૂછવામાં આવ્યું કે, તેઓએ સરહદ વિવાદ પહેલા લખેલા પોતાના પુસ્તકમાં ભારત અને ચીનના ભવિષ્યનું ચિત્રણ કેવી રીતે કર્યું છે, તો તેઓએ જણાવ્યું કે, બંને માટે અત્યંત મહત્વપૂર્ણ સંબંધ છે અને તેના માટે રણનીતિ અને દૃષ્ટિની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, ભારત ભાર મૂકી રહ્યું છે કે ચીનની સાથે સરહદ ઘર્ષણનું સમાધાન બંને દેશોની વચ્ચે સરહદ પર પ્રબંધન માટે હાલ સમજૂતી અને પ્રોટોકોલને અનુરૂપ શોધવું જોઈએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર