Home /News /national-international /VIDEO: આ પ્રાચીન મંદિરની કૉપી છે આપણું સંસદ ભવન, લોકો કહે છે તેને તાંત્રિક યૂનિવર્સિટી
VIDEO: આ પ્રાચીન મંદિરની કૉપી છે આપણું સંસદ ભવન, લોકો કહે છે તેને તાંત્રિક યૂનિવર્સિટી
chausath yogini mandir
મિતાવલી ગામની ઊંચી પહાડી પર આવેલ આ મંદિર સ્થાનિક લોકોની વચ્ચે એકોતેરસો મહાદેવ મંદિરના નામથી ઓળખાય છે. કહેવાય છે કે, બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયને મુરૈનામાં આવેલ ચૌંસઢ યોગિની મંદિરના આધાર પર ભારતીય સંસદ ભવન બનાવ્યું હતું.
મુરૈના (મધ્ય પ્રદેશ): મુરૈનામાં ચોંસઢ યોગિની મંદિર છે. આ મંદિર ખૂબ જ ખાસ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે, ભારતનું સંસદ ભવન 1920માં આ શૈલી પર બનાવવામાં આવ્યું છે. આ મંદિર મુરૈના જિલ્લા મથકથી લગભગ 30 કિમી દૂર છે. મંદિરમાં 64 રૂમ છે અને તમામ રુમમાં યોગિની અને શિવલિંગ આવેલ છે. જેના કારણે આ મંદિરને 64 યોગિની મંદિર કહેવાય છે.
ચૌંસઢ યોગિની મંદિરને મિતાવલી મંદિર પણ કહેવાય છે, કારણ કે આ મુરૈનાના મિતાવલી ગામમાં આવેલું છે. મંદિરની વચ્ચે એક ખુલ્લો મંડપ છે. આ મંદિરનું નિર્માણ 1323 ઈસવીમાં થયું હતું. આ મંદિર ગુર્જર પ્રતિહાર કાલીન મંદિર છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આ મંદિરને પ્રાચીન ઐતિહાસિક સ્મારક ઘોષિત કરેલું છે. " isDesktop="true" id="1364273" >
ઊંચા પહાડ પર મંદિર
મિતાવલી ગામની ઊંચી પહાડી પર આવેલ આ મંદિર સ્થાનિક લોકોની વચ્ચે એકોતેરસો મહાદેવ મંદિરના નામથી ઓળખાય છે. કહેવાય છે કે, બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયને મુરૈનામાં આવેલ ચૌંસઢ યોગિની મંદિરના આધાર પર ભારતીય સંસદ ભવન બનાવ્યું હતું. આ મંદિરની ભૂ યોજના વિશિષ્ટ છે તથા ભારત વર્ષમાં આવેલ ચૌંસઢ યોગિની મંદિરની યોજના સમાન છે. જેમાં પ્રાય: મુખ્ય મંદિરના ચારેતરફ વૃતાકારમાં દેવ પ્રકોષ્ઠ હોય છે.
મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વારા પૂર્વમાં છે તથા તેની ચારેતરફ બનાવેલ પ્રકોષ્ઠ જેની સામે સ્તંભ પર આધારિત ખંભા છે. જે ખૂબ નાના નાના છે. આ પ્રકોષ્ઠોમાંથી અમુક શિવલિંગ વિદ્યમાન છે. મધ્યમાં એક ઊંચી ગોળ જગતી પર મુખ્યમંદિર છે. જેના ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપેલું છે. મંદિર પહાડની તળેટી પર ભારે ભરકમ આભૂષણ યુક્ત આદમ કદ કુષાણ કાલીન પાષાણ પ્રતિમાઓ છે, જે હાલમાં પુરાતત્વ સંગ્રહાલય ગ્વાલિયરના કિલ્લામાં પ્રદર્શિત છે.
તાંત્રિક વિશ્વવિદ્યાલય પણ કહેવાય છે
આ મંદિર તાંત્રિક યૂનિવર્સિટી તરીકે પણ પ્રસિદ્ધ છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર પર સૂર્યનું પારગમનના આધાર પર જ્યોતિષ અને ગણિતમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા હતી. અહીં ભગવાન શિવનું મંદિર છે. આ જ કારણે વિદેશ પણ જ્યોતિષ અને તંત્ર વિદ્યા શિખવા માટે આવે છે. આ મંદિર પર છત ન હોવાના કારણે તેને છતવિહીન મંદિર પણ કહેવાય છે. મિતાવલી ગામમાં આવેલું આ રહસ્યમયી મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
આ અદ્ભૂત મંદિરનું બાંધકામ 100 ફુટની ઊંચાઈ પર કરવામાં આવ્યું છે અને પહાડી પર આવેલા ગોળાકાર મંદિર કોઈ ઉડન તશ્કરી જેવું દેખાય છે. આ મંદિર સુધી પહોંચવા માટે લગભગ 200 સીડીઓ ચડવાની હોય છે. ચૌંસઢ યોગિની મંદિરના દરેક રુમમાં શિવલિંગ છે. દેવી યોગિનીની મૂર્તિ સ્થાપિત હતી, જેના કારણે તે તેનું નામ 64 યોગિની રાખવામાં આવ્યું હતું. હવે કેટલીય મૂર્તિઓ ચોરી થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર