ભૂમધ્ય સાગરમાં પ્રવાસીઓને લઇ જઇ રહેલી એક બોટ પલટવાથી ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયા છે. યુનાઇટેડ નેશન્સની રેફ્યૂજી એજન્સી અનુસાર, આ બોટ ટ્યૂનીશિયા નજીક સમુદ્રમાં પલટી ગઇ છે. યુએનએચસીઆર તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી માત્ર 16 લોકોને જ બચાવી શકાય છે. જીવિત બચેલા લોકોએ કહ્યું કે, બોટ ગુરૂવારે લીબિયાથી ઉપડી હતી, સમુદ્રમાં ભારે મોજાના કારણે તે પલટી ગઇ.
UNHCR આંકડાઓ અનુસાર, આ વર્ષે અત્યાર સુધી લીબિયાથી યુરોપના રસ્તામાં અંદાજિત 164 લોકોનાં મોત આ જ પ્રકારે થયા છે. જો કે, આ દુર્ઘટના અત્યાર સુધી થયેલી તમામ દુર્ઘટનાઓમાંથી સૌથી મોટી છે. દુર્ઘટનામાં બચેલા લોકોને ટ્યૂનીશિયાનું નૌકાદળ પોતાના દેશના કોસ્ટલ વિસ્તાર પર લઇ આવી છે. એક વ્યક્તિને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ટ્યૂનીશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, જેવી આ દુર્ઘટના અંગે જાણકારી મળી તેઓએ તાત્કાલિક માછલી પકડવાની બોટને અહીં મોકલાવી જેથી ફસાયેલા લોકોને બચાવી શકાય. આ બોટમાં સવાર મોટાંભાગના લોકો આફ્રિકાથી હોવાનું સામે આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર