મુંબઈ: કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસ(Money Laundering Case)માં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્ર (Maharashtra)ના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ (anil deshmukh)ને સોમવારે અહીંની વિશેષ પીએમએલ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ કેસમાં પૂછપરછ કર્યા બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ 1 નવેમ્બરે દેશમુખની ધરપકડ કરી હતી. ઇ.ડી. કસ્ટડીના સમયગાળાના અંતે એનસીપીના નેતાને વિશેષ ન્યાયાધીશ એમ.જે. દેશપાંડે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ આ વર્ષે 21 એપ્રિલે એનસીપી નેતા સામે ભ્રષ્ટાચાર અને સત્તાવાર કાર્યાલયના દુરુપયોગના આરોપસર એફઆઈઆર નોંધાવ્યા બાદ ઇ.ડી.એ દેશમુખ અને તેના સાથીઓ સામે તપાસ શરૂ કરી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ઓછામાં ઓછી 100 કરોડની લાંચનો આરોપ લગાવ્યા બાદ સીબીઆઈએ એનસીપી નેતા સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યા બાદ દેશમુખ અને અન્ય લોકો સામે કથિત મની લોન્ડરિંગનો કેસ સામે આવ્યો હતો.
ઇ.ડી. દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કહેવામાં આવ્યું છે કે દેશમુખે ગૃહ પ્રધાન તરીકેના તેમના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે મારફતે મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાંથી 4.70 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા.
દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આખી એજન્સીનો કેસ કલંકિત પોલીસકર્મચારી (વાજે) દ્વારા કરવામાં આવેલા દુષ્ટ નિવેદનો પર આધારિત છે. ઇડીએ અગાઉ તેના બે સાથીઓ - સંજીવ પલંડે (દેશમુખના અંગત સચિવ તરીકે કામ કરતા એડિશનલ કલેક્ટર રેન્ક ઓફિસર) અને કુંદન શિંદે (દેશમુખના અંગત સહાયક) ની ધરપકડ કરી હતી, જેઓ હાલમાં આ કેસના સંદર્ભમાં જેલમાં છે. એજન્સીએ બંને સામે વિશેષ અદાલત સમક્ષ ફરિયાદી ફરિયાદ (ચાર્જશીટ ની સમકક્ષ) રજૂ કરી હતી.
અનિલ દેશમુખ પર પરમબીર સિંહે શું આરોપ લગાવ્યા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દાવો કર્યો છે કે અનિલ દેશમુખે સચિન વાઝેને 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો. પરમબીર સિંહે પોતાના પત્રમાં લખ્યું છે કે તેમને 100 કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે મુંબઈના બાર, પબ અને રેસ્ટોરાંમાંથી વસુલી કરવીનું કહેવામાં આવ્યું હતું. પત્ર અનુસાર સચિન વાઝે આ ટાર્ગેટ પર કહ્યું હતું કે તે 40 કરોડ રૂપિયા પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ વધારે છે. પરમબીર સિંહે દાવો કર્યો હતો કે અનિલ દેશમુખે સચિન વાઝેને 100 કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે અન્ય પદ્ધતિઓ ઘડવા જણાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર