Home /News /national-international /પ્રચંડ જીત બાદ PM મોદી અને અમિત શાહે અડવાણીના ઘરે જઈ લીધા આશીર્વાદ

પ્રચંડ જીત બાદ PM મોદી અને અમિત શાહે અડવાણીના ઘરે જઈ લીધા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા હતા.

વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના વડીલ લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીના ઘરે જઈ મુલાકાત કરી

    ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ આજે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીની મુલાકાત લીધી હતી. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ મોદી- શાહની જોડીએ અડવાણીના ઘરે જઈને તેમના આશિર્વાદ લીધા હતા.

    વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે પોતાના કાફલા સાથે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

    લાલકૃષ્ણ અડવાણી સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું હતું કે આજે તેમની મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીની આજે જે કઈ સફળતા છે તે અડવાણીજીની દાયકાઓની મહેનત અને વિચારધારાના સંઘર્ષ બાદ મળેલી સફળતા છે.



    આ પણ વાંચો :  30મી મેએ શપથ પહેલા PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત

    વડાપ્રધાન મોદી અને અમિત શાહે મુરલી મનોહર જોષીની મુલાકાત કરી હતી.


    લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કર્યા બાદ મોદી શાહની જોડીએ ભાજપના માર્ગદર્શન મંડળના નેતા મુરલી મનોહર જોષીના નિવાસસ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી. પીએમ મોદીએ મુલાકાત અંગે ટ્વીટર પર લખ્યું હતું કે ડૉ.મુરલી મનોહર જોષી એક બુદ્ધીજીવી વ્યક્તિ છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. મારા સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓનો પાયો મજબૂત કરવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે.

    આ મુલાકાત બાદ મુરલી મનોહર જોષીએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જનતાના અપાર સહયોગના કારણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સફળતા મળી છે. વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અથાક પરીશ્રમથી થયેલા ચૂંટણી અભિયાને આ સફળતા અપાવી છે.
    First published: