Home /News /national-international /PM Modi in Ayodhya: જ્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે- રામ મંદિરનું નિર્માણ શરૂ થશે ત્યારે જ હું અયોધ્યા પરત ફરીશ

PM Modi in Ayodhya: જ્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે- રામ મંદિરનું નિર્માણ શરૂ થશે ત્યારે જ હું અયોધ્યા પરત ફરીશ

1992માં મોદીએ પ્રતિજ્ઞા લીધી હતી

Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અયોધ્યા પહોંચશે અને રામલલાના દર્શન કરશે અને દિવાળીના અવસર પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે. લગભગ 2 વર્ષ પહેલા પીએમ મોદી અયોધ્યાની મુલાકાતે ગયા હતા અને તે સમયે રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. સોમનાથ-અયોધ્યા રામ રથયાત્રા 25 સપ્ટેમ્બર 1990ના રોજ શરૂ થઈ હતી. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપના મહામંત્રી હતા.તેમણે ગુજરાતમાં રથયાત્રાનું નેતૃત્વ કર્યું હતું.

વધુ જુઓ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અયોધ્યા પહોંચશે અને રામલલાના દર્શન કરશે અને દિવાળીના અવસર પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે. લગભગ 2 વર્ષ પહેલા પીએમ મોદી અયોધ્યાની મુલાકાતે ગયા હતા અને તે સમયે રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. સોમનાથ-અયોધ્યા રામ રથયાત્રા 25 સપ્ટેમ્બર 1990ના રોજ શરૂ થઈ હતી. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપના મહામંત્રી હતા.તેમણે ગુજરાતમાં રથયાત્રાનું નેતૃત્વ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ એકતા યાત્રાના ભાગરૂપે 26 જાન્યુઆરી 1992ના રોજ કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો હતો. આના થોડા દિવસો પહેલા 14 જાન્યુઆરીએ તેઓ અયોધ્યામાં રામજન્મભૂમિ પહોંચ્યા હતા અને ભગવાન શ્રી રામના આશીર્વાદ લીધા હતા. એવું કહેવાય છે કે તે દરમિયાન મોદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ અયોધ્યા ત્યારે જ પાછા ફરશે જ્યારે રામ મંદિરનું નિર્માણ શરૂ થશે.

ભગવાન શ્રીરામ પ્રત્યે નરેન્દ્ર મોદીની શ્રદ્ધાને એના પરથી સમજી શકાય છે કે તેમણે જમ્મુ-કાશ્મીર ભાજપાના લેટરહેડ પર પ્રભુ શ્રીરામને એક કવિતા સમર્પિક કરી હતી. આ કવિતા ખુદ નરેન્દ્ર મોદીએ લખી હતી. વર્ષ 1998 માં, મોરેશિયસમાં આંતરરાષ્ટ્રીય રામાયણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.મોકામાં આયોજિત આ સંમેલનમાં નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તત્કાલીન પીએમ મોદીએ ભગવાન શ્રી રામ વિશે પૂરા ઉત્સાહ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના ભાષણનો ઘણો પ્રભાવ પડ્યો હતો.

આ પણ વાંચોઃ મિત્રતા કરવાની ના પાડતા માથાફરેલ યુવકે યુવતીના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા, કહ્યું- 7 લાખ આપ અથવા મારી ઈચ્છા પૂરી કર

સમયની સાથે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા.બીજી તરફ અયોધ્યાની કાનૂની લડાઈ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ. લગભગ 500 વર્ષ જૂનું રામ મંદિર આંદોલન અને નરેન્દ્ર મોદીના વ્યક્તિગત સમર્પણની યાત્રા 5 ઓગસ્ટ 2020ના રોજ નવી ઊંચાઈએ પહોંચી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો. કહેવાય છે કે રામ મંદિરનું અડધું બાંધકામ 2 વર્ષમાં પૂર્ણ થઈ ગયું છે. સાથે જ અયોધ્યાના વિકાસ માટે હજારો કરોડના ખર્ચે અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. રામ મંદિર ખુલતા પહેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
First published:

Tags: Ayodhya Ram Temple, Diwali 2022, Prime minister of india

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો