અભિનેતા રાજકુમાર રાવે કહ્યું - ચલો પાણી બચાવો. આ પહેલા કે ઘણું મોડું થઈ જાય. ફિલ્મ આ સંદેશને ફેલાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે અને હું તેનો ભાગ બનીને ખુશ રહીશ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિશન પાની કાર્યક્રમમાં કહ્યું કે રાજ્યમાં એવું કોઈ શહેર નથી જ્યાં અમારી પાસે જળ નિકાસની વ્યવસ્થા ના હોય. રાજ્યએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આપણા જીવનમાં પાણી હંમેશા જરૂરી રહેશે અને યૂપીના લોકોને પાણીના સંરક્ષણનો સંકલ્પ લેવાની અપીલ કરું છું
અમિત શાહે કહ્યું કે આપણી સભ્યતા નદીઓની આસપાસ વધી છે. જેથી આપણી સભ્યતામાં નદીઓને માતા કહેવામાં આવી છે. તે પછી ગંગા, ગોદાવરી, નર્મદા કે યમુના હોય. આપણી સભ્યતા આ નદીઓની આસપાસ વધી છે. ભારતમાં ઝીલ અને તળાવના માધ્યમથી જળ સંરક્ષણની એક લાંબી પરંપરા છે પણ હાલના દિવસોમાં સરકારો અને લોકોએ નદીઓની સાથે-સાથે પરંપરાઓની પણ ઉપેક્ષા કરી છે. અમિત શાહે લોકોને આ અભિયાન સાથે જોડાવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે દેશવાસીઓને પાણી બચાવવાની અપીલ કરું છું અને મને આશા છે કે મિશન પાનીની પહેલ લોકોને પાણીના સંરક્ષણના મહત્વને સમજાવશે
દેશના ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે મિશન પાની ભારતમાં જલ સંરક્ષણ પર સકારાત્મક પ્રભાવ પાડશે અને આ જળ સંરક્ષણ માટે ભારત સરકારની દ્રષ્ટીના અનુરુપ પણ છે. હું દિલથી મિશન પાની ટીમને આ સંભવ બનાવવા માટે અભિનંદન પાઠવું છું
કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે જ્યારે હું કોલસા મંત્રી હતો ત્યારે અમે ગામમાં વિતરિત કરવા માટે પાણીનું પ્રસંસ્કરણ શરૂ કર્યું હતું. તેને સંસાધિત કરવું મોંઘું હતું પણ અમે આ નિર્ણય કર્યો હતો. અમે પાણીને શુદ્ધ બનાવ્યું. અમારી પાસે વર્તમાન રેલવે સ્ટેશનોમાં વરસાદના જળ સંચયન માટે સ્થાન નથી પણ આપણે ભવિષ્યમાં નવા રેલવે સ્ટેશનોમાં આવું કશું કરીશું
મિશન પાની કાર્યક્રમ અંતર્ગત ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર ટ્રેડ મિલ પર 21 કિલોમીટર ચાલ્યો. પાણીની શોધમાં દર કલાકે કલાકો પગપાળા ચાલનારા લોકો પ્રત્યે એકજુટતા બતાવવા માટે અક્ષય કુમારે આ ચેલેન્જ પુરી કરી હતી