Home /News /national-international /જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

J&Kથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ મોદી સરકારનો મોટો નિર્ણય, નોટિફિકેશન મુજબ કૃષિની જમીન નહીં ખરીદી શકાય

J&Kથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ મોદી સરકારનો મોટો નિર્ણય, નોટિફિકેશન મુજબ કૃષિની જમીન નહીં ખરીદી શકાય

    નવી દિલ્હી/શ્રીનગરઃ દેશનો કોઈ પણ નાગરિક જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં હવે જમીન ખરીદી શકે છે. ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) આ આશયની અધિસૂચના મંગળવારે બહાર પાડી દીધી છે. જોકે આ અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે કૃષિ માટે જમીન નહીં લઈ શકાય. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ આદેશનો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (કેન્દ્રીય કાયદાને અનુકૂળ) ત્રીજા આદેશ - 2020 કહેવામાં આવશે.

    કેન્દ્ર દ્વારા અધિસૂચના જાહેર કર્યા બાદ આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 1897ના સામાન્ય આદેશ અધિનિયમ આ આદેશની વ્યાખ્યા માટે લાગુ થશે. આવું એટલા માટે હશે કારણ કે આ ભારતના સમગ્ર ક્ષેત્રમાં લાગુ કાયદાની વ્યાખ્યા માટે હશે.

    જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીકે કે રાજ્યમાં બહારના ઉદ્યોગ સ્થાપિત થાય, તથી ઔદ્યોગિક ભૂમિમાં રોકાણની આવશ્યક્તા છે. પરંતુ ખેતીની જમીનો માત્ર રાજ્યના લોકોની પાસે જ રહેશે.

    આ પણ વાંચો, PMGKY: સરકાર ત્રીજું પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં, માર્ચ સુધી મળી શકે છે ફ્રીમાં અનાજ અને કેશ!

    ઉલ્લેખનીય છે કે, આ અધિસૂચન બાદ કોઈ પણ ભારતીય જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં ફેક્ટરી, ઘર કે દુકાન માટે જમીનોની ખરીદ અને વેચાણ કરી શકે છે. તેના માટે તેને પહેલાની જેમ કોઈ સ્થાનિક નિવાસ પ્રમાણપત્ર આપવાની જરૂર નહીં રહે.

    આ પણ વાંચો, 101 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 488 દર્દીનાં મોત

    નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરને વર્ષ 2019માં આર્ટિકલ 370 (Article 370)થી મુક્ત કરવામાં આવ્યું છે. ત્યારબાદ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું હતું. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ (Union Territory) થયાને એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો