Home /News /national-international /'શ્રદ્ધાંજલિ આપવાની આ મારી રીત છે', મનોજ બાજપેયી History TV18ની કોરોના રસી ડોક્યુમેન્ટરીનો ભાગ બન્યા
'શ્રદ્ધાંજલિ આપવાની આ મારી રીત છે', મનોજ બાજપેયી History TV18ની કોરોના રસી ડોક્યુમેન્ટરીનો ભાગ બન્યા
મનોજ બાજપેયી કોરોના રસી ડોક્યુમેન્ટરીનો ભાગ બન્યા
ડોક્યુમેન્ટ્રી વિશે વાત કરતાં અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું કે, ભારતની કોવિડ-19 રસીની વાર્તા દેશ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. એક ભારતીય તરીકે આપણે તેના વિશે જાણવું જોઈએ અને ગર્વ અનુભવવો જોઈએ. આ ડોક્યુમેન્ટરી અમારા લાખો આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કર્સને સમર્પિત છે.
અભિનેતા મનોજ બાજપેયીએ હિસ્ટ્રી ટીવી 18ની નવી ડોક્યુમેન્ટ્રી ‘The Vial – India’s Vaccine Story’માં પોતાનો અવાજ આપ્યો છે. ભારતની અદ્ભુત કોવિડ-19 રસીની સફર આ ડોક્યુમેન્ટ્રી દ્વારા જણાવવામાં આવી છે. ડોક્યુમેન્ટ્રીનો એક ભાગ બનવા પર મનોજ બાજપેયીએ કહ્યું કે, ફ્રન્ટલાઈન વર્કર્સ અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપવાની આ તેમની રીત હતી. આ લોકોના કારણે ભારતની મહામારી સામેની લડાઈમાં મોટો બદલાવ આવ્યો છે. અભિનેતા દ્વારા વર્ણવેલ, દસ્તાવેજી કોવિડ -19 રસીની રસી બનાવવાની આંતરિક વાર્તાને જીવંત બનાવે છે.
પદ્મશ્રી મનોજ બાજપેયીએ કહ્યું કે, 'નિર્માતા ઇચ્છતા હતા કે, હું આ પ્રોજેક્ટનો ભાગ બનું. મારા માટે પણ તે ફ્રન્ટલાઈન કામદારો અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપવાની મારી રીત હતી, જેમણે બદલાવ લાવ્યો હતો. યાદ કરીએ આપણે બધા કે, આપણે બધા આપણા ઘરોમાં આરામમાં હતા, પરંતુ હજારો લોકો હતા જેઓ બહાર કામ કરતા હતા. એવા લોકો છે, જેમણે પડદા પાછળ કામ કર્યું છે. ઘણા વૈજ્ઞાનિકો, ફ્રન્ટલાઈન વર્ક્સએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કર્યું છે. આ ડોક્યુમેન્ટ્રી તેમના યોગદાનની ઉજવણી છે.
મનોજ બાજપેયીએ બે દિવસમાં ડોક્યુમેન્ટ્રીનું રેકોર્ડિંગ પૂર્ણ કર્યું હતું. તેણે કહ્યું કે, તે જેટલું સરળ લાગે છે એટલું સરળ નહોતું, કારણ કે તેણે ડોક્યુમેન્ટરી માટે નેરેટરની ભૂમિકા ભજવી હતી. તેણે કહ્યું કે, મારે કેટલાક ભાગોમાં દેખાવાનું હતું. તેને આરામદાયક બનાવવું હતું અને પ્રેક્ષકોને જોડવાનું હતું. તેમાં ઘણો ડેટા હતો અને તે મારા માટે એક કાર્ય હતું.
અભિનેતાએ કહ્યું કે, ભારતની રસીની વાર્તા બહુપક્ષીય છે. તે એક સફળતા અને પડકાર બંને હતી. પરંતુ લોકોએ પડકારોનો સામનો કર્યો અને રસીકરણને સફળ બનાવ્યું હતું. 1.3 અબજ ભારતીયોએ તેનો લાભ લીધો હતો. તેમણે કહ્યું કે, 'આપણે લોકોનો આભાર માનવો જોઈએ. મોટાભાગની વસ્તી રસી લેવા માંગતી હતી. તેઓ ઈચ્છતા હતા કે, કોવિડ-19નો અંત આવે.
‘The Vial – India’s Vaccine Story’ શુક્રવારે રાત્રે 8 વાગ્યે History TV18 પર પ્રિમિયર થઈ હતી. આમાં અનેક અકથિત વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથે ડૉ. સુમિત અગ્રવાલ (વૈજ્ઞાનિક, ICMR), ડૉ. શમિકા રવિ (જાહેર નીતિ નિષ્ણાત), ડૉ. દેવી શેટ્ટી (સ્થાપક, નારાયણ હૃદયાલય) દર્શાવવામાં આવ્યા છે.અને ડૉ.ક્રિષ્ના ઈલા (ચેરમેન, ભારત બાયોટેક). એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અત્યાર સુધીની આ પ્રકારની પ્રથમ ડોક્યુમેન્ટ્રી છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-19 જેવી મહામારી પર 'ભારતની જીત' વિશે વિગતવાર ચર્ચા કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર