Home /News /national-international /મહારાષ્ટ્ર: ડિસેમ્બર મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ડોક્ટરોએ વ્યક્ત કરી આશંકા

મહારાષ્ટ્ર: ડિસેમ્બર મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ડોક્ટરોએ વ્યક્ત કરી આશંકા

ભારતમાં સત્તાવાર રીતે કોરોના ચેપના દૈનિક કેસોમાં હવે મોટો ઘટાડો થયો છે

મહારાષ્ટ્રમાં (Maharahstra) કોરોનાની ત્રીજી લહેર (corona third wave) ડિસેમ્બરમાં આવી શકે છે, પરંતુ તેની અસર ઓછી રહેવાની આશા છે. આવી સ્થિતિમાં લોકોને ગભરાવાની નહીં પરંતુ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં (Maharahstra) કોરોનાની ત્રીજી લહેર (corona third wave) ડિસેમ્બરમાં આવી શકે છે, પરંતુ તેની અસર ઓછી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં લોકોને ગભરાવાની નહીં પરંતુ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ (Health Minister Rajesh Tope)કહ્યું છે કે, કોવિડ-19ની ત્રીજી લહેર ડિસેમ્બરમાં મહારાષ્ટ્રમાં આવવાની ધારણા છે, પરંતુ તે હળવી હશે. તેમણે કહ્યું કે રાજ્યમાં રસીકરણનો (Vaccination)દર ઊંચો છે અને તેથી આ લહેર હળવી રહેવાની અપેક્ષા છે. મહત્વનું છે કે, નિષ્ણાતોએ પણ કહ્યું છે કે, પ્રથમ વેવ સપ્ટેમ્બર 2020માં આવી હતી. બીજી લહેર એપ્રિલ 2021માં આવી હતી. હવે ત્રીજી વેવ ડિસેમ્બરમાં આવવાની સંભાવનાઓ રહેલી છે.

રસીકરણથી ત્રીજી લહેરને અસર ઓછી થશે: રાજેશ ટોપે

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં 80 ટકાથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. કોવિડ-19ના ફેલાવાને રોકવામાં રસીકરણે મુખ્ય ભૂમિકા ભજવી છે. અહીં ચેપ પહેલા કરતા ઓછો છે અને મૃત્યુ દર શૂન્યની નજીક છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ અને બાળકોમાં ઘણી બધી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. જોકે ત્રીજી લહેર ડિસેમ્બરમાં અપેક્ષિત છે, જે રસીકરણ કરવામાં આવ્યું છે. તે ખાતરી કરશે કે ચેપ ખૂબ જ હળવો હશે અને ICU અને ઓક્સિજનની જરૂરિયાત ઓછી હશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 2.12 ટકા સાથે દેશમાં સૌથી વધુ મૃત્યુદર છે. રાજ્યમાં હાલમાં 9,678 સક્રિય કેસ છે પરંતુ દરરોજ નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ટોપેએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં રસીની કોઈ અછત નથી. અમારી પાસે રસીનો પુરતો ડોઝ છે. અમારી પાસે હાલમાં 1.77 કરોડ રસી ઉપલબ્ધ છે. કોવિશિલ્ડ સ્ટોક 1.13 કરોડ અને કોવેક્સિન 64 લાખ છે.

આ પણ વાંચો: એક તરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીનો વિદ્યાર્થિની પર હુમલો, પછી પૂછ્યું - જીવે છે કે મરી ગઈ

ત્રીજી લહેર પહેલા મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ તૈયાર

કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ઘણા પગલાં લીધા છે. રોગચાળા સામે લડવા માટે રાજ્ય સરકારની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે કોરોનાને હરાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દોઢ ગણું અપગ્રેડ કર્યું છે. મહત્વનું છે કે, આ વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા, નિષ્ણાતોએ કહ્યું હતું કે, જો કોવિડ -19ની ત્રીજી લહેર મહારાષ્ટ્રમાં આવે છે, તો 60 લાખ સુધી કેસ આવી શકે છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું હતું કે, તે શહેરના સ્વાસ્થ્ય માળખાને તૈયાર રાખવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને BMC પથારી અને ઓક્સિજનની ઉપલબ્ધતા પર વધુ ભાર મૂકે છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરનો આરોપ, ‘ISIS કાશ્મીર’ તરફથી મળી રહી છે જાનથી મારી નાખવાની ધમકી

કોરોના ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી 30 હજાર બેડ તૈયાર

BMCના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે, સંભવિત ત્રીજા લહેર માટે 30,000 બેડ તૈયાર રાખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચેમ્બુર અને મહાલક્ષ્મીમાં પણ ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે, જેથી શહેરમાં આવશ્યક જીવન રક્ષક ગેસની કોઈ અછત ન રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
First published:

Tags: Coroanvirus, Corona Crisis India, કોરોના મહામારી, કોરોના વાયરસ