Home /News /national-international /Maharashtra Crisis: ડેપ્યુટી સ્પીકરના નિર્ણયથી વાંધો, શિંદે જૂથને મોટી રાહત, સુપ્રીમ કોર્ટની મહત્વની વાતો

Maharashtra Crisis: ડેપ્યુટી સ્પીકરના નિર્ણયથી વાંધો, શિંદે જૂથને મોટી રાહત, સુપ્રીમ કોર્ટની મહત્વની વાતો

સુપ્રીમ કોર્ટ ફાઈલ તસવીર

Maharashtra Shiv Sena Crisis Supreme Court : ન્યાયમૂર્તી સૂર્ય કાંત અને ન્યાયમૂર્તી જે બી પારદીવાલાની પીઠે બળવાખોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકિલ એન કે કૌલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દળનું ઉદ્ધવ ઠાકરે જૂથ અલ્પમતમાં છે અને રાજ્યની વ્યવસ્થાને નુકસાન પહોંચી રહ્યું છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (supreme court) મહારાષ્ટ્ર વિધાનસભાના (Maharashtra Assembly) ઉપાધ્યક્ષ દ્વારા ફટકારેલી અયોગ્યતા નોટિસ વિરુદ્ધ મંત્રી એકનાથ શિંદેના (Eknath Shinde) નેતૃત્વમાં શિવસેનામાં (shivsena) બળવાખોર ધારાસભ્યોની અરજી ઉપર સોમવારે સુનાવણી કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ મામલે મુંબઈ હાઈકોર્ટમાં (Mumbai high court) કેમ ન ગયા. ન્યાયમૂર્તી સૂર્ય કાંત અને ન્યાયમૂર્તી જે બી પારદીવાલાની પીઠે બળવાખોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકિલ એન કે કૌલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દળનું ઉદ્ધવ ઠાકરે જૂથ અલ્પમતમાં છે અને રાજ્યની વ્યવસ્થાને નુકસાન પહોંચી રહ્યું છે.

કૌલે કહ્યું કે મુંબઈમાં આ ધારાસભ્યો માટે વાતાવરણ અનુકૂળ નથી કારણ કે તેમને ધમકી આપવામાં આવી છે. તેમણે અરુણાચલ પ્રદેશના નબામ રેબિયા કેસમાં સર્વોચ્ચ અદાલતના નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને ધારાસભ્યોની ગેરલાયકાતનો કેસ ચલાવવાનો અધિકાર નથી કારણ કે તેમને હટાવવા માટેની અરજી પેન્ડિંગ છે. કૌલે કહ્યું કે 39 ધારાસભ્યો લઘુમતી જૂથની વિરુદ્ધ છે.

સુનાવણી દરમિયાન શિંદે પક્ષ અને સુપ્રીમ કોર્ટે શું કહ્યું:

- સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શા માટે બળવાખોર શિવસેના ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકર દ્વારા જારી કરાયેલ ગેરલાયકાતની નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો નથી.

- બળવાખોર શિવસેના ધારાસભ્યોએ કોર્ટના ચુકાદાઓને ટાંકીને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું જૂથ "લઘુમતીમાં" છે અને સરકારી તંત્રને "નાશ કરવાનો પ્રયાસ" કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ-બાળપણના પ્રેમ માટે પત્નીએ આશિકને ઘરે બોલાવી એન્જિનિયર પતિની કરાવી ક્રૂર હત્યા

- શિવસેનાના બળવાખોરોએ નબામ રેબિયાના ચુકાદાને ટાંકીને કહ્યું કે વિધાનસભાના ઉપાધ્યક્ષને ગેરલાયકાતની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર નથી.

- સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને વચગાળાની રાહત આપતા કહ્યું કે 11મી જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી તેમની ગેરલાયકાત અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ-લગ્ને લગ્ને કુંવારો : 32 વર્ષની વયે એક-બે નહીં 12 લગ્નો કર્યા, પત્નીઓ પાસે કરાવતો હતો ગંદુ કામ

- જ્યારે કામતે કહ્યું કે કોઈપણ અદાલતે ક્યારેય ગેરલાયકાતની પ્રક્રિયા પર રોક લગાવી નથી અને તે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડશે, ત્યારે જસ્ટિસ પારડીવાલાએ કામતને કિહોતો ચુકાદામાંથી ફકરો વાંચવા કહ્યું જે કહે છે કે સ્પીકરના નિર્ણય ન્યાયિક છે. તપાસ કોઈ અપવાદ નથી.
First published:

Tags: Maharashtra, Maharashtra News, Shiv sena, Supreme Court