We will go to the Supreme Court (against the Maharashtra Governor’s decision to call for a floor test). This is an unlawful activity as the matter of disqualification of our 16 MLAs is pending in SC. The Governor was waiting for this moment only: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/nnqBLBPFqD
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે તે રાજ્યપાલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપશે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા સંજય રાઉતે કહ્યું કે અમે રાજ્યપાલના ફ્લોર ટેસ્ટ બોલાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઇશું. આ એક ગેરકાયદેસર નિર્ણય છે કારણ કે અમારા 16 ધારાસભ્યોની અયોગ્યતાનો મામલો સુપ્રીમ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યોએ ગુવાહાટીમાં આવેલા પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. એકનાથ શિંદેએ કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા પછી કહ્યું કે તે મહારાષ્ટ્રની શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરવા આવ્યા છે. ફ્લોર ટેસ્ટ માટે કાલે મુંબઈ જઇળ અને બધી પ્રક્રિયાઓનું પાલન કરીશ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર