Home /News /national-international /Maharashtra Political Crisis : શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, હવે જવાબ આપવા માટે 12 જુલાઇ સુધીનો સમય
Maharashtra Political Crisis : શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, હવે જવાબ આપવા માટે 12 જુલાઇ સુધીનો સમય
શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
Maharashtra Political Crisis - એકનાથ શિંદેએ કહ્યું - બાલાસાહેબ ઠાકરેની શિવસેના તે લોકોનું સમર્થન કેવી રીતે કરી શકે જેમનો મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિતો, દાઉદ ઇબ્રાહિમ અને મુંબઈના નિર્દોષ લોકોના જીવ લેવા માટે જવાબદાર લોકો સાથે સીધો સંબંધ હતો
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra Political Crisis) વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેના (Shiv Sena) ના 16 બળવાખોર ધારાસભ્યોને મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ સામે મંત્રી એકનાથ શિંદે (eknath shinde) ની અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથને મોટી રાહત મળી છે. તેમને અયોગ્ય જાહેર કરનારી નોટિસ પર જવાબ આપવા માટે હવે 12 જુલાઇ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
શિંદે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટે ડિપ્ટી સ્પીકર નરહરિ જિરવાલ અને ધારાસભ્યોના અલ્પસંખ્યક જૂથ દ્વારા શિવસેના વિધાયક દળના નેતા પસંદ થયેલા અજય ચૌધરીને નોટિસ આપી છે. કોર્ટે ડિપ્ટી સ્પીકરને બધા દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. બધા પક્ષોએ ત્રણ દિવસમાં જવાબ આપવાનો છે અને સોગંદનામું દાખલ કરવાનું છે.
એકનાથ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં કહ્યું કે મહાવિકાસ અઘાડી ગઠબંધને સદનમાં બહુમત ગુમાવી દીધું છે. કારણ કે શિવસેના વિધાયક દળના 38 ધારાસભ્યોએ પોતાનું સમર્થન પાછું ખેચી લીધું છે. આ સિવાય એકનાથ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાયક દળના નેતા પદથી હટાવીને અજય ચૌધરીની નિમણુક કરવાને લઇને પડકાર આપ્યો છે. ધારાસભ્યોના પરિવારોની સુરક્ષાની પણ માંગણી કરવામાં આવી છે.
આ પહેલા એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું છે કે તે આને પોતાની નિયતિ માનશે ભલે તેમણે હિન્દુત્વનું પાલન કરવા માટે મરવું પણ પડે. આ સિવાય એકનાથ શિંદેએ કહ્યું કે બાલાસાહેબ ઠાકરેની શિવસેના તે લોકોનું સમર્થન કેવી રીતે કરી શકે જેમનો મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિતો, દાઉદ ઇબ્રાહિમ અને મુંબઈના નિર્દોષ લોકોના જીવ લેવા માટે જવાબદાર લોકો સાથે સીધો સંબંધ હતો. જેથી અમે આ પગલું ભર્યું છે, મરવું પણ સારું છે. આ પહેલા સંજય રાઉતે એકનાથ શિંદે જૂથ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ જે 40 લોકો ગુવાહાટી ગયા છે તેમની બોડી જ અહીં આવશે, આત્મા નહીં આવે. રાઉતે કહ્યું કે તે ત્યાં તડપી રહ્યા છે. જ્યારે આ બળવાખોર ધારાસભ્યો મુંબઈ ઉતરશે તો તે મનથી જીવિત નહી રહે, તેમની બોડી પોસ્ટમોર્ટમ માટે સીધી મહારાષ્ટ્ર વિધાનસભા જશે. તેમને ખબર છે કે આ જે આગ લગાવી છે તે આગમાં શું થઇ શકે છે. મુંબઈ આવીને જુઓ, મારી ચેલેન્જ છે.
મહારાષ્ટ્રના ઉચ્ચ શિક્ષા મંત્રી ઉદય સામંત એકનાથ શિંદે કેમ્પમાં ચાલ્યા જતા હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારમાં શિવસેવા પાસે ફક્ત 3 મંત્રી વધ્યા છે. અત્યાર સુધી એમવીએ સરકારમાં સામેલ શિવસેનાના 8 મંત્રી એકનાથ શિંદેનું સમર્થન કરી ચૂક્યા છે.
" isDesktop="true" id="1222557" >
શિંદે કેમ્પના ધારાસભ્યો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા તૈયાર
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દિપક કેસરકરે કહ્યું કે એકનાથ શિંદે જૂથ મહારાષ્ટ્ર વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો સામનો કરવા માટે તૈયાર છે. જોકે તેને શિવસેના જૂથના રૂપમાં માન્યતા મળ્યા બાદ જ થશે. તેમણે કહ્યું કે એક વખત તેમની સંખ્યા 51 થયા પછી તે મુંબઈ પરત ફરવાનો નિર્ણય કરશે. એકથી બે ધારાસભ્યો હજુ આવશે અને અમારી સાથે જોડાશે. તેમના અને અપક્ષના સમર્થનથી ઉમેદવારોની સંખ્યા 51 થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર