Maharashtra Politics: નાગપુરમાં એક જાહેર સમારંભમાં બાવનકુલેએ કહ્યું કે, "...જ્યાં સુધી હું ભાજપનો પ્રદેશ અધ્યક્ષ છું ત્યાં સુધી ફડણવીસ બનાવવા જોઈએ...." પરંતુ ભાજપના નેતાએ વાક્ય અધૂરું છોડી દીધું અને તે પછી તેઓ અટકી ગયા..
મુંબઈ: ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ રવિવારે કહ્યું કે, જ્યાં સુધી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું, ત્યાં સુધી રાજ્યના સર્વાંગી વિકાસ માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadanvis) મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ. બાવનકુલેનું નિવેદન તેમના પુરોગામી ચંદ્રકાંત પાટીલે નિવેદનના થોડા દિવસ બાદ આ નિવેદન આપવામાં આવ્યું હતું કે, પાર્ટીએ ભારે હૃદયથી શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને ફડણવીસને બદલે મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લીધો છે.
ચંદ્રકાંત પાટીલ હાલમાં શિંદેના નેતૃત્વવાળી સરકારમાં કેબિનેટ મંત્રી છે. બાવનકુલેની ટીપ્પણીએ વિરોધ પક્ષોને મસાલો આપી દીધો છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (Nationalist Congress Party) જણાવ્યા અનુસાર, તે દર્શાવે છે કે વર્તમાન મુખ્યમંત્રી શિંદેનું ભારતીય જનતા પાર્ટી (BJP)ની નજરમાં કોઈ મહત્વ નથી.
અડધી વાત છોડી દીધી
નાગપુરમાં એક જાહેર સમારંભમાં બાવનકુળેએ કહ્યું કે, "... જ્યાં સુધી હું બીજેપીનો પ્રદેશ અધ્યક્ષ છું, ત્યાં સુધી ફડણવીસ બનાવવા જોઈએ...." પરંતુ ભાજપના નેતાએ વાક્ય અધૂરું છોડી દીધું અને પછી વિરામ લઈ લીધો હતો.
પ્રેક્ષકોમાંના ઘણા લોકોએ 'મુખ્યમંત્રી' શબ્દની બૂમો પાડ્યા પછી, બાવનકુલેએ તેમનું ભાષણ ચાલુ રાખ્યું અને કહ્યું કે, "આપણે બધાએ એવી રીતે કામ કરવાની જરૂર છે કે તેઓ (ફડણવીસ)ને મુખ્ય પ્રધાન પદ મળે." તે તેમને પદ મેળવવાની વાત નથી, પરંતુ તે મહારાષ્ટ્ર રાજ્યના સર્વાંગી વિકાસ માટે છે."
તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ મહારાષ્ટ્રના ભવિષ્યની વ્યાખ્યા કરી શકે છે તો તે દેવેન્દ્રજી છે. આ અગાઉ, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે, શિંદેની આગેવાની હેઠળની સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ટકી શકશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર