સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મહારાષ્ટ્ર (Maharashtra) ના ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખને (Anil Deshmukh) ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં બુધવારે કસ્ટડીમાં લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ તેમને મુંબઈની આર્થર રોડ જેલમાંથી કસ્ટડીમાં લીધા છે. હવે તેમને વિશેષ CBI કોર્ટમાં રજૂ કરવાની યોજના છે.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir singh) અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે CBI ટીમે દેશમુખને મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી કસ્ટડીમાં લીધા બાદ ધરપકડ કરી હતી. અગાઉ દેશમુખે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં જઈને વિશેષ અદાલતના આદેશને પડકાર્યો હતો. સ્પેશિયલ કોર્ટના નિર્ણયે CBIને ભ્રષ્ટાચારના આરોપોની તપાસના સંબંધમાં દેશમુખને કસ્ટડીમાં લેવાની મંજૂરી આપી હતી.
CBIની વિશેષ અદાલતે 31 માર્ચે CBI દ્વારા દાખલ કરાયેલી અરજીને મંજૂરી આપી હતી અને એજન્સીને દેશમુખ અને અન્ય ત્રણ - સંજીવ પાલાંડે, કુંદન શિંદે (દેશમુખના ભૂતપૂર્વ સહાયક) અને પોલીસ અધિકારી સચિન વાજેને બરતરફ કરવાની મંજૂરી આપી હતી.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર