Home /News /national-international /મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તાર, લાગુ થશે 50-60ની ફોર્મ્યુલા? શિંદે-ફડણવીસે કર્યો દિલ્હીનો પ્રવાસ!

મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તાર, લાગુ થશે 50-60ની ફોર્મ્યુલા? શિંદે-ફડણવીસે કર્યો દિલ્હીનો પ્રવાસ!

શિંદે-ફડણવીસ સરકારનો કેબિનેટ વિસ્તાર ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થવાની સંભાવના છે (file photo)

maharashtra cabinet expansion - સૂત્રોએ News18ને જણાવ્યું કે ફડણવીસ અને શિંદે બન્ને શનિવારે સાંજે અલગ-અલગ ચાર્ટર્ડ વિમાનથી દિલ્હી પહોંચ્યા અને રાત પછી મુંબઈ પાછા ફર્યા હતા

મુંબઈ : કેબિનેટ વિસ્તારની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના (Maharashtra)મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના મતે દિલ્હીમાં આ ગુપ્ત બેઠક હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં ઘણી વખત કેબિનેટ વિસ્તારને ટાળ્યા પછી થઇ હતી. શિંદે-ફડણવીસ સરકારનો કેબિનેટ વિસ્તાર ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થવાની સંભાવના છે.

સૂત્રોએ News18ને જણાવ્યું કે ફડણવીસ અને શિંદે બન્ને શનિવારે સાંજે અલગ-અલગ ચાર્ટર્ડ વિમાનથી દિલ્હી પહોંચ્યા અને રાત પછી મુંબઈ પાછા ફર્યા હતા. જોકે આને લઇને કોઇ આધિકારિક પૃષ્ટી થઇ નથી. ફડણવીસ અને દિલ્હી ભાજપા મુખ્યાલય બન્નેએ આવી કોઇ બેઠકથી ઇન્કાર કર્યો છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર જે એક હાઇ વોલ્ટેજ રાજનીતિક ડ્રામા પછી સત્તામાં આવી છે. આ સરકારે 30 જુલાઇએ પોતાના કાર્યકાળનો એક મહિનો પુરો કરી લીધો છે.

આ પણ વાંચો - ‘મન કી બાત’ માં પીએમ મોદીએ કહ્યું- 2 થી 15 ઓગસ્ટ સુધી તિરંગાને પ્રોફાઇલ પિક્ચરના રૂપમાં લગાવો

બીજેપી 60-40ના ફોર્મ્યુલા પર અડી - સૂત્ર

ફડણવીસ અને શિંદેએ આ મહિનાની શરૂઆતમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે રાજ્યમાં નવી સરકારના ગઠનને લઇને ચર્ચા થઇ હતી. એકનાથ શિંદે કેબિનેટ વિસ્તારમાં 50-50 ફોર્મ્યુલા પર અડગ છે. જ્યારે બીજેપી 60-40ના ફોર્મ્યુલા પર અડી છે. સૂત્રોએ કહ્યું કે ભાજપામાંથી 27 મંત્રી અને શિંદે જૂથમાંથી 15 મંત્રી રહેશે.

તમને જણાવી દઈએ કે શિવસેનામાંથી બળવો કરનાર એકનાથ શિંદેએ 30 જૂનના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા. ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેના એક દિવસ પહેલા શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

મહારાષ્ટ્રની રાજનીતિ ઘટનાક્રમની ટાઇમલાઇન

20 જૂન - મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મહાવિકાસ અઘાડી સરકારમાં ક્રોસ વોટિંગ થયું હતું, ભાજપાના પાંચેય ઉમેદવારો જીતી ગયા હતા.

21 જૂન - રાત્રે શિવસેવાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત હોટલમાં પહોંચ્યા હતા.

22 જૂન - શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરતથી આસામના ગુવાહાટીમાં લઇ જવાયા હતા.

25 જૂન - એકનાથ શિંદે જૂથનો 50 ધારાસભ્યો તેમની સાથે હોવાનો દાવો

29 જૂન - રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકારને 30 જૂને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનું ફરમાન કર્યું.

29 જૂન - ઉદ્ધવ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ. જોકે ફ્લોર ટેસ્ટ કરવાનો રાજ્યપાલનો નિર્ણય યથાવત્ રાખ્યો.

29 જૂન - બહુમત ના હોવાથી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.

30 જૂન - એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

3 જુલાઇ - મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બીજેપીના રાહુલ નાર્વેકરની સ્પીકર તરીકે વરણી.

4 જુલાઇ - એકનાથ શિંદે સરકારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં બહુમત મેળવ્યું.
First published:

Tags: Devendra Fadnavis, Eknath Shinde, Maharashtra, Maharashtra News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો