સરકારી જમીનને પચાવી નહિ શકે મંદિરો, ભગવાન બધે જ છે: Madras High Court
સરકારી જમીનને પચાવી નહિ શકે મંદિરો, ભગવાન બધે જ છે: Madras High Court
સરકારી જમીનને પચાવી નહિ શકે મંદિરો, ભગવાન બધે જ છે
Madras High Court: આ મામલાની સુનાવણી જસ્ટિસ એસ વૈદ્યનાથન અને ડી ભરત ચક્રવર્તીની બેંચ કરી રહી હતી. ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે જેમણે કોર્ટ (madras court)માં અરજી કરી છે તેઓ મંદિર (temple on public place)ના નામે હાઇવેની સંપત્તિનો કબજો લઈ શકશે નહીં.
ચન્નાઈ. મદ્રાસ હાઈકોર્ટે (Madras high court) કહ્યું છે કે ભગવાન (God) બધે જ છે. તેથી, ઈશ્વરને તેની દૈવી હાજરી માટે કોઈ ખાસ સ્થાનની જરૂર નથી. હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. આ મામલે કોર્ટે સાર્વજનિક જમીન પર મંદિર (temple) હટાવવા પર રોક લગાવવાની માંગ કરી હતી. આ સાથે જ મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે કહ્યું કે ધર્મ (religion)ના નામે લોકોને વિભાજિત કરવા માટે તમામ સમસ્યાઓનું મૂળ કારણ કટ્ટરપંથી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ મામલાની સુનાવણી જસ્ટિસ એસ વૈદ્યનાથન અને ડી ભારત ચક્રવર્તીની બેંચ કરી રહી હતી. ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે જેમણે કોર્ટમાં અરજી કરી છે તેઓ મંદિરના નામે હાઇવેની સંપત્તિનો કબજો લઈ શકશે નહીં. સાથે જ કોર્ટે કહ્યું કે, આ જાહેર જમીનનો ઉપયોગ કોઇ પણ જાતિ અને ધર્મના લોકો કરી શકે છે.
પોતાની જમીન પર બનાવો મંદિર
ન્યાયાધીશોએ વધુમાં જણાવ્યું હતું કે, "જો અરજદાર ભક્તોને વિનયનગરની કોઈપણ સ્થિતિમાં પૂજા કરવાની સુવિધા આપવા માંગે છે, તો તે તેના માટે મુક્ત છે. પણ એ માટે તે પોતાની જમીન આપે. ત્યાં એક મંદિર બનાવો અને ભગવાનની મૂર્તિ તે જ જગ્યાએ જઈને મૂકી દો."
શું છે આખો મામલો?
જણાવી દઈએ કે હાઈકોર્ટમાં અરજી એસ.પેરિયાસામી નામના વ્યક્તિએ દાખલ કરી હતી. વાસ્તવમાં સ્ટેડ હાઈવે ડિપાર્ટમેન્ટે તામિલનાડુના વેપ્પાનથાત્તીને મંદિર હટાવવા માટે કહ્યું હતું. આ મંદિર પરમાવલ્લુર જિલ્લામાં છે.
અરજદાર મંદિરના ટ્રસ્ટી છે. તેમણે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે મંદિર ત્રણ દાયકાથી વધુ સમયથી અહીં છે. સાથે જ તેમણે કહ્યું કે, આ મંદિર બનાવતી વખતે હાઇવે પર વાહનોની અવરજવરમાં કોઇ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
હાઈકોર્ટે આ અરજી ફગાવી
કોર્ટે કહ્યું કે, જો મંદિર છેલ્લા ત્રણ દાયકાથી ત્યાં છે, તો તેઓ તમામ કાગળો બતાવશે કે તે મંદિરની ભૂમિ છે. હાઈકોર્ટે કહ્યું કે, જો મંદિરને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં આવે તો દરેક વ્યક્તિ આવી માગણી કરશે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર