Home /News /national-international /Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

મહાકાલ મંદિરમાં નીકળેલા સાપની તસવીર

Mahakaal temple: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આજે શિવલિંગની સામે ગણેશ મંડપમાં સાપ નીકળતાં હડકંપ મચી ગયો હતો. જોકે સાપ નીકળ્યો ત્યારે શ્રદ્ધાળું હાજર ન્હોતા. સાપને જોઈને મંદિરે અધિકારીઓે જાણ કરી હતી.

આનંદ નિગમઃ ઉજ્જૈનના (Ujjain) મહાકાલ મંદિરની (Mahakaal temple) અંદર આજે અચાનક સાપ નીકળ્યો હતો. સાપ (Snake) આશરે પાંચ ફૂટ લાંબો હતો. તેને જોઈને સ્ટાફમાં હડકંપ મચી ગઈ હતી. સદનસીબે આ સમયે શ્રદ્ધાળુઓ અંદર ન્હોતા. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આજે શિવલિંગની (shivaling) સામે ગણેશ મંડપમાં સાપ નીકળતાં હડકંપ મચી ગયો હતો. જોકે સાપ નીકળ્યો ત્યારે શ્રદ્ધાળું હાજર ન્હોતા. સાપને જોઈને મંદિરે અધિકારીઓે જાણ કરી હતી. મંદિરની સુરક્ષા માટે હાજર બીએસએફના (BSF) એક જવાને સાપને પકડીને મંદિર પરિસરમાંથી બહાર મૂકી આવ્યો હતો.

સાપ નીકળવાનો વીડિયો જેવો વાયરલ થયો ત્યારે ભક્તો તેને આશ્થાની નજરે જોવા લાગ્યા હતા. સોમવારના દિવસે સાપને જોઈને ભગવાન મહાકાને જોડવા લાગ્યા હતા. જોકે, પાછળથી જાણવા મળ્યું કે સાપ સોમવારે નહીં પરંતુ રવિવારે રાત્રે નીકળ્યો હતો. આ સમયે મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ હતો જેથી કોઈ જાનહાની થઈ ન્હોતી.

કાળ ભૈરવના સ્થાનકે સાપ નીકળવાનો આ વીડિયો રવિવાર રાત્રે શયન આરતીનો છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ હતો. આ સમયે સાપ દેખાયો. જો સાપ એવા સમયે નીકળતો કે શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરે છે તો મુશ્કેલી ઉભી થઈ શકી હોત.

આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

સાપ ગણેશ મંડપમમાં શ્રદ્ધાઓની લાઈમાં લાગવાની જગ્યાએ નીકળ્યો હતો. જ્યાં સેંકડો શ્રદ્ધાળુઓ ઉભા રહીને ભગવાન મહાકાલ સામે જવા માટે રાહ જોતા હોય છે. આ પહેલા પણ પ્રસિદ્ધ કાળભૈરવ મંદિરમાં પણ સાપ નીકળ્યો હતો.
" isDesktop="true" id="1113776" >

જ્યારે સાપ સતત ત્રણ દિવસ સુધી નીકળ્યો તો શ્રદ્ધાળુ આને ભગવાનનો ચમત્કાર સમજીને પૂજા કરવા લાગ્યા હતા. કાલ ભૈરવ મંદિરના મુખ્ય દ્વારની પાસે રોજ આવીને બેસી જતો હતો. જેને શ્રદ્ધાળુ ચમત્કારના રૂપમાં જોતા હતા.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો