Home /News /national-international /માતા-પિતાથી વિખૂટા પડેલા હિંદુ બાળકોનું ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનાવાયા, NCPCRએ તપાસનો આદેશ આપ્યો
માતા-પિતાથી વિખૂટા પડેલા હિંદુ બાળકોનું ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનાવાયા, NCPCRએ તપાસનો આદેશ આપ્યો
બાળકોનું ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનાવાયા
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) ને મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ગૌહરગંજમાં માતા-પિતાથી વિખૂટા પડેલા 3 હિંદુ બાળકોનું ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા છે. ત્રણ બાળકો ભાઈ-બહેન છે જેઓ 2020માં કોવિડને કારણે પ્રથમ લોકડાઉન પહેલા મંડીદીપમાં તેમના માતાપિતાથી અલગ થઈ ગયા હતા. શું છે આખો મામલો જાણો
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) ને મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ગૌહરગંજમાં માતા-પિતાથી વિખૂટા પડેલા 3 હિંદુ બાળકોનું ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા છે. ત્રણ બાળકો ભાઈ-બહેન છે જેઓ 2020માં કોવિડને કારણે પ્રથમ લોકડાઉન પહેલા મંડીદીપમાં તેમના માતાપિતાથી અલગ થઈ ગયા હતા. શું છે આખો મામલો જાણો
એનસીપીસીઆરના પ્રમુખ પ્રિયંક કાનુન્ગોએ શનિવારે ટ્વિટ કર્યું હતું કે, 'મધ્ય પ્રદેશના રાયસેનમાં શિશુ ગૃહની તપાસમાં બાળ ગૃહ સંચાલક દ્વારા નવા નામ અને ધર્મના દસ્તાવેજો બનાવવાનો મામલો સામે આવ્યો છે. બાળકોનો ધર્મ પરિવર્તનનો મામલો ગંભીર છે. જિલ્લા વહીવટીતંત્રને (બાળકો) નિર્દેશક હસીન પરવેઝ વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ સંદર્ભે સંપર્ક કરવામાં આવતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રાયસેનના ગૌહરગંજ ખાતે શિશુગૃહમાં રહેતા ત્રણ બાળકો પર રાયસેન ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)નો ન્યાયિક અધિકાર છે. આ ત્રણ બાળકોમાંથી બે છોકરીઓ છે, જેની ઉંમર ચાર અને આઠ વર્ષની છે, જ્યારે એક 11 વર્ષનો છોકરો છે. તેમણે કહ્યું, 'CWC ની રચના જુવેનાઈલ જસ્ટિસ (ચિલ્ડ્રન કેર એન્ડ પ્રોટેક્શન) એક્ટ 2015 હેઠળ કરવામાં આવી છે. તેને (ન્યાયિક) બેંચ તરીકે સત્તા આપવામાં આવી છે. તેની અવગણના કરીને અમે કેસ કેવી રીતે નોંધી શકીએ?' તેમણે કહ્યું, "NCPCR શિશુગૃહ કેન્દ્રના સંચાલક સામે ફરિયાદ કરવા માટે આગળ આવવું જોઈએ."
रायसेन,मध्यप्रदेश में शिशुगृह के निरीक्षण में 3 बच्चों के नाम व धर्म बदल कर बालगृह संचालक द्वारा नए नाम व धर्म के दस्तावेज बनवा लेने का मामला मिला है।बच्चों के धर्मपरिवर्तन का मामला गम्भीर है,ज़िला प्रशासन को संचालक हसीन परवेज़ के विरुद्ध प्रकरण दर्ज करने के निर्देश दिए हैं।
— प्रियंक कानूनगो Priyank Kanoongo (@KanoongoPriyank) November 12, 2022
બાળકો કેવી રીતે તેઓ તેમના માતા-પિતાથી અલગ થયા...
રાયસેનના ગોદી શિશુગૃહ ગૌહરગંજમાં રહેતા શાહરૂખ, સુહાના અને રૂખસાના (નવા નામ)ના પિતા મંડીદીપની ફેક્ટરીમાં ગાર્ડ છે. પરસ્પર વિવાદ પછી માતા-પિતા અલગ રહે છે. માતા બાળકો સાથે ભોપાલ ગઈ હતી. અહીં તે તાજુલ મસ્જિદ પાસે એક મુસ્લિમ ફકીર પાસે ભીખ માંગવા લાગી. કોવિડમાં, બાળકો તેમની માતાથી અલગ થઈ ગયા.
ભોપાલની માતૃ છાયા સંસ્થા(એનજીઓ)ને બાળકો અનાથ દેખાયા. તેમણે બાળ કલ્યાણ સમિતિ, ભોપાલ સમક્ષ બાળકોને રજૂ કર્યા. મામલો રાયસેન જિલ્લાનો હતો, તેથી બાળ કલ્યાણ સમિતિ ભોપાલે કેસને રાયસેન બાળ કલ્યાણ સમિતિને ટ્રાન્સફર કર્યો. બાળ કલ્યાણ સમિતિ રાયસેને આ બાળકોને ગોદી શિશુગૃહ ગૌહરગંજને સોંપી દીધા.
મહિલા અને બાળ વિકાસ વિભાગે બાળકોનો SIR રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બાળકોના માતા-પિતા હિન્દુ છે. આ હોવા છતાં, શિશુગૃહ સંચાલક હસીન પરવેઝે નામ પરિવર્તન ન કરી શાળા અને આધાર કાર્ડ પર તેમનું મુસ્લિમ નામ જ લખાવ્યું.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નેશનલ કમિશન ફોર ચિલ્ડ્રનનાં અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગો ફરિયાદ પર ચિલ્ડ્રન હોમનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. ચિલ્ડ્રન કમિશને આ કેસમાં હસીન પરવેઝને આરોપી બનાવ્યો છે.
ત્રણેય બાળકો છેલ્લા 3 વર્ષથી ગૌહરગંજમાં સરકારી ગ્રાન્ટથી ચાલતા ચિલ્ડ્રન હોમમાં રહે છે. બાળકો હિંદુ છે અને પછાત વર્ગના છે. તેમની ઉંમર 4, 6 અને 8 વર્ષ છે. તેમને બે બહેનો અને એક ભાઈ છે. બાળકોએ જણાવ્યું કે, પહેલા તેમના નામ અલગ હતા, હવે અહીંના શિક્ષકે તેમને અન્ય નામ આપ્યા છે. આધાર કાર્ડમાં બાળકોના માતા-પિતાને બદલે કેરટેકર તરીકે શિશુગૃહ સંચાલક હસીન પરવેઝનું નામ નોંધાયેલું છે.
બાળગૃહના તમામ દસ્તાવેજો જપ્ત કર્યા છે
આ શિશુગૃહમાં 5 બાળકો રહે છે. આમાંથી ત્રણ ભાઈ-બહેન છે. શિશુગૃહના સંચાલકને ઠપકો આપતા, રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગોએ શિશુગૃહના તમામ દસ્તાવેજો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગને પણ તપાસ કરવા અને એફઆઈઆર નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે.
આરોપી સંચાલકે કહ્યું-અમે નામ નથી બદલ્યા
શિશુગૃહના સંચાલક હસીન પરવેઝનું કહેવું છે કે બાળકોને ભોપાલથી અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC)એ આપેલા આદેશ અનુસાર જ નામો સંસ્થામાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સુધી CWC આદેશ ન આપે ત્યાં સુધી અમે નામ બદલી શકતા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર