ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. પંચે રાહુલ પાસે 48 કલાકની અંદર જવાબ માંગ્યો છે. રાહુલ પર મધ્ય પ્રદેશના શહડોલમાં આયોજિત એક રેલીમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવાનો આરોપ છે. રાહુલે શહડોલની રેલમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ એક નવો કાયદો બનાવ્યો છે જેમાં એક લાઈન છે કે આદિવાસીઓને ગોળી મારી શકાય છે.
શહડોલમાં રાહુલે એક રેલીમાં કહ્યું હતું કે, હું વાયદો કરું છું કે 2019 બાદ લોન ન ચૂકવવાના કારણે કોઈ ખેડૂત જેલ નહીં જાય. રાહુલે એમ પણ કહ્યું હતું કે જીએસટી અને નોટબંધીના કારણે અર્થવ્યવસ્થાને જોરદાર આંચકો લાગ્યો અને કોંગ્રેસની 'ન્યાય' યોજના બાદ અનેક રોજગાર ઊભા થશે અને અર્થવ્યવસ્થા ટ્રેક પર આવી જશે.
રાહુલે આદિવાસી સમુદાયના લોકોને સંબોધિત કરતાં આરોપ લગાવ્યો કે, મોદી સરકારે એક એવો કાયદો પણ બનાવ્યો છે જે હેઠળ સરકાર આદિવાસીઓ પાસેથી તેમની જમીન અને સંસાધન છીનવીને તેમને ગોળી પણ મારી શકે છે.
Election Commission issues a notice to Congress President Rahul Gandhi & seeks a reply within 48 hours, for violating model code of conduct by saying "Narendra Modi has made a new law in which there is a line that says tribals can be shot at", at a rally in Shahdol,Madhya Pradesh pic.twitter.com/uY5xD5CMif
આ પહેલા રાફેલ ડીલ સાથે જોડાયેલા સુપ્રીમ કોર્ટના એક ચુકાદા પર રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી હતી. કોર્ટે રાહુલને સવાલ કર્યો હતો કે અમે તો કોઈ ચુકાદામાં નથી કહ્યું કે ચોકીદાર ચોર હૈ, તમે અમારું નામ કેવી રીતે લઈ શકો? ત્યારબાદ રાહુલે આ મામલામાં સુપ્રીમ કોર્ટની માફી માંગી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર